ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 03:35 PM, 26 August 2026
1/5
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનાં અતૂટ બંધન અને રક્ષાના સંકલ્પનું પ્રતીક છે. આ વર્ષે આ તહેવાર શુક્રવાર, 28 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક કરે છે અને કાંડા પર રાખડી બાંધે છે. તેના બદલામાં, ભાઈઓ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે અને તેમને ભેટ આપે છે. જોકે, એક સામાન્ય પ્રશ્ન એ થાય છે કે ભાઈના કપાળ પર તિલક સાથે ચોખા શા માટે લગાવવામાં આવે છે, અને આ પરંપરાનું મહત્વ, નિયમો તથા લાભ હોય છે. જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હોય, તો વિગતવાર જાણીએ કે, રક્ષાબંધન દરમિયાન ભાઈના કપાળે તિલક સાથે ચોખા શા માટે લગાવવામાં આવે છે અને તેનાથી સંબંધિત નિયમો શું છે.
2/5
રક્ષાબંધનના તહેવાર પર, બહેનો રાખડી બાંધતા પહેલાં હંમેશાં તેમના ભાઈઓના કપાળ પર તિલક જરુર કરો. હિંદુ ધર્મ અને શાસ્ત્રોમાં આ પરંપરાને અત્યંત શુભ માનવામાં આવે છે. તિલકને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. વળી, એવું પણ માનવામાં આવે છે કે તે એકાગ્રતા અને સ્મરણશક્તિમાં વધારો કરે છે. ભ્રમરની વચ્ચેના ભાગમાં તિલક કરવાની પ્રથા છે, જે જ્ઞાન અને ચેતનાનું કેન્દ્ર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભાઈને તિલક કરવાથી તેમના જીવનમાં વધુ સકારાત્મકતા આવી શકે છે. પરંતુ બહેનો હંમેશા તિલક પર 'અક્ષત'પણ લગાવે છે. આ પ્રથા પાછળ એક ચોક્કસ કારણ રહેલું છે.
ADVERTISEMENT
3/5
કપાળ પર લગાવેલા તિલક પર ચોખાના દાણા લગાવવાની પણ એક પરંપરા છે. આ પ્રથા અત્યંત શુભ માનવામાં આવે છે. 'અક્ષત'નો અર્થ છે અખંડિત એટલે કે સંપૂર્ણ અને સાબૂત દાણા. તેથી, તિલક પર અક્ષત લગાવવા એ એવી આશાનું પ્રતીક છે કે ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમનો સંબંધ હંમેશાં અખંડ રહે.
4/5
આ ઉપરાંત, ભાઈના દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાર્થના કરવાના હેતુથી પણ ચોખા લગાવવામાં આવે છે. આ દાણા રક્ષા કે સુરક્ષા સાથે જોડાયેલા માનવામાં આવે છે. ચોખાને સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, ભગવાન વિષ્ણુના પ્રતીક રૂપે તિલક કરવામાં આવે છે, જ્યારે 'અક્ષત' (આખા ચોખાના દાણા) દેવી લક્ષ્મીનું પ્રતીક છે. રક્ષાબંધનના તહેવાર સાથે જોડાયેલી પરંપરાઓ પણ તેમની દિવ્ય લીલાઓ સાથે સંકળાયેલી છે. જોકે, ભાઈને તિલક અને અક્ષત લગાવતી વખતે અમુક મહત્વપૂર્ણ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
5/5
રાખડી બાંધતા પહેલાં ભાઈના કપાળ પર તિલક અને અક્ષત લગાવવા જોઈએ; આ વિધિ પછી જ રાખડી બાંધવામાં આવે છે.તિલક લગાવતી વખતે ભાઈએ પોતાના માથા પર રૂમાલ અથવા સફેદ કપડાનો ટુકડો ઢાંકેલો રાખવો જોઈએ. તેવી જ રીતે, બહેનોએ પણ પોતાના માથા પર દુપટ્ટો અથવા કપડાનો ટુકડો રાખવો જોઈએ.તિલક કરતી વખતે ક્યારેય સૂકા 'અક્ષત' નો ઉપયોગ ન કરવો જોઈએ, તેને લગાવતા પહેલા ભીના કરવા જોઈએ. દેવી-દેવતાઓને પણ સૂકા અક્ષત અર્પણ કરવામાં આવતા નથી. તેથી, તિલક કરતી વખતે આ ખાસ નિયમનું ચોક્કસપણે ધ્યાન રાખવું. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ