ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નેપાળ પૂર: ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર! PM મોદીએ નેપાળના PM સાથે વાત કરી, ભારત મદદ માટે તૈયાર

નેશનલ / નેપાળ પૂર: ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર! PM મોદીએ નેપાળના PM સાથે વાત કરી, ભારત મદદ માટે તૈયાર

Published By: Pravin Joshi

Last Updated: 06:14 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં બુધવારે આવેલ ભયાનક પૂરના કારણે મોટા પાયે તબાહી સર્જાઈ છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 33 સુરક્ષાકર્મીઓ લાપતા હોવાના સમાચાર મળ્યા છે.

ADVERTISEMENT

નેપાળમાં બુધવારે આવેલ ભયાનક પૂરના કારણે મોટા પાયે તબાહી સર્જાઈ છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 33 સુરક્ષાકર્મીઓ લાપતા હોવાના સમાચાર મળ્યા છે. સંકટની આ ઘડીમાં ભારતે પોતાના પાડોશી દેશ તરફ મદદનો હાથ લંબાવ્યો છે અને રાહત સામગ્રીનો મોટો જથ્થો મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર

નેપાળમાં પૂરથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા અને જરૂરી માહિતી આપવા માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે 24x7 કાર્યરત રહે તેવા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે:

  • ઇમરજન્સી નંબર 1: +977 985 131 6807
  • ઇમરજન્સી નંબર 2: +977 970 910 7500

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી શેર કરતાં જણાવ્યું કે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાતમંદ ભારતીયોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

PM નરેન્દ્ર મોદી અને નેપાળના PM વચ્ચે ટેલિફોનિક વાતચીત

પૂરના કારણે થયેલી જાનમાલની ખુવારી પર દુઃખ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે ટેલિફોન પર સંવાદ સાધ્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે વાત કરીને પૂરથી થયેલા નુકસાન અંગે દિલસોજી પાઠવી છે. આ મુશ્કેલ સમયમાં ભારત નેપાળના પોતાના ભાઈ-બહેનો સાથે મજબૂતીથી ઊભું છે અને દરેક સંભવ માનવતાવાદી સહાય પૂરી પાડવા કટિબદ્ધ છે.

આ પણ વાંચોઃ VIDEO : શ્વાન હોસ્પિટલમાંથી 4 લાખના દાગીના ભરેલો થેલો લઈને ભાગી નીકળ્યો, જુઓ વીડિયો

ભારત તૈયાર કરી રહ્યું છે વિશેષ રાહત પેકેજ

ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી દ્વારા નેપાળ માટે વિશેષ રાહત સામગ્રીનું પેકેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભારતીય અને નેપાળી સત્તાવાળાઓ તેમજ રેસ્ક્યુ ટીમો વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે. નેપાળ સરકાર દ્વારા ઔપચારિક વિનંતી મળતાં જ અથવા સ્થિતિની જરૂરિયાત મુજબ રાહત સામગ્રીનો જથ્થો તાત્કાલિક રવાના કરવામાં આવશે. ભારત સીમાવર્તી વિસ્તારો અને નેપાળની ગ્રાઉન્ડ સ્થિતિ પર અત્યંત બારીકાઈથી નજર રાખી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiaStandWithNepal PMModi NepalFloods

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ