ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:06 PM, 29 August 2026
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર, 29 ઓગસ્ટ 2026ના રોજ પોતાના બે દિવસીય રાજકીય પ્રવાસે (State Visit) ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
#WATCH | Prime Minister Narendra Modi reaches Tashkent, Uzbekistan.
— ANI (@ANI) August 29, 2026
During the visit, the Prime Minister will hold delegation-level talks with President Mirziyoyev to further strengthen the strategic partnership between the two countries. The two leaders will review… pic.twitter.com/7itczpdbn6
ADVERTISEMENT
તાશ્કંદ એરપોર્ટ પર પીએમ મોદીના વિમાનના લેન્ડ થતાં જ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિ યોયેવ પોતે તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ આ જબરદસ્ત આતિથ્ય સત્કાર બદલ રાષ્ટ્રપતિ મિર્ઝિ યોયેવનો આભાર માનીને તેમને ભેટી પડ્યા હતા. તાશ્કંદ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર તસવીરો શેર કરતા લખ્યું, "તાશ્કંદ પહોંચવા પર ઉઝબેક રાષ્ટ્રપતિ તરફથી કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત માટે હું ખૂબ આભારી છું. આ મારી ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની ઊંડાઈ અને સતત વધતી ગતિને દર્શાવે છે."
Landed in Tashkent to a warm welcome by President Shavkat Mirziyoyev. Grateful to him for the special gesture.
— Narendra Modi (@narendramodi) August 29, 2026
This is my fourth visit to Uzbekistan, reflecting the depth and growing momentum of our bilateral relations.
Toshkentga yetib keldim va Prezident Shavkat Mirziyoyev… pic.twitter.com/vAjST9OzuK
ADVERTISEMENT
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મિર્ઝિ યોયેવ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાશે, જેમાં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યત્વે નીચેના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવશે.
ADVERTISEMENT
વેપાર અને રોકાણ: દ્વિપક્ષીય આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવા.
સંરક્ષણ અને સુરક્ષા: ક્ષેત્રીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે પરસ્પર સહયોગ.
ADVERTISEMENT
ડિજિટલ કનેક્ટિવિટી અને ઊર્જા: ટેકનોલોજી, ઊર્જા અને મહત્વપૂર્ણ ખનિજોમાં ભાગીદારી.
શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધો: લોકો વચ્ચે પરસ્પર જોડાણ અને શૈક્ષણિક આદાન-પ્રદાન વધારવું.
ADVERTISEMENT
વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર, કૃષિ સાધનોની ખરીદીના સમયમાં વધારો કરાયો, જીતુ વાઘાણીનું એલાન
આ ઉપરાંત બંને નેતાઓ ભારતના 'વિકસિત ભારત 2047' અને 'ઉઝબેકિસ્તાન-2030' ના વિઝન પર પણ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરશે. તાશ્કંદમાં પીએમ મોદી લાલ બહાદુર શાસ્ત્રી સ્મારક અને તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ સ્થિત મહાત્મા ગાંધી કેન્દ્રની પણ મુલાકાત લેશે. ઉઝબેકિસ્તાનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાનારી શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની શિખર પરિષદમાં ભાગ લેવા રવાના થશે.
સંકળાયેલા મુદ્દાઓ