બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનું અવસાન, ઘણા સમયથી લિવરની બીમારીથી પીડિત હતા, કલાકારોએ શોક વ્યક્ત કર્યો
Last Updated: 12:10 PM, 4 June 2026
હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફિલ્મ નિર્માતા અને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (CBFC)ના પૂર્વ અધ્યક્ષ પહેલાજ નિહલાનીનું 4 જૂન, 2026ના રોજ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લીવર સંબંધિત ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા.
ADVERTISEMENT
રિપોર્ટ્સ મુજબ પહેલાજ નિહલાનીએ મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ચાર મહિનાથી સારવાર હેઠળ હતા અને લિવર સિરોસિસની બીમારી સામે લડી રહ્યા હતા. વરિષ્ઠ પત્રકાર વિક્કી લાલવાનીએ સોશિયલ મીડિયા પર તેમના નિધનની માહિતી આપી હતી. માહિતી અનુસાર તેઓ ડૉ. જયંત બર્વેની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા હતા. છેલ્લા 30 દિવસ દરમિયાન તેમની તબિયત સતત નાજુક રહેતાં તેમને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોને આશા હતી કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે, પરંતુ અંતે તેઓ જીવનની જંગ હારી ગયા.
પહેલાજ નિહલાની હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્માતાઓમાં ગણાતા હતા. તેમણે ‘આંખે’, ‘અંદાજ’, ‘તલાશ’, ‘જુલી 2’ અને ‘રંગીલા રાજા’ જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ફિલ્મ નિર્માતા તરીકે તેમની આગવી ઓળખ હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ડેટિંગ એપ્સ ચલાવનાર મર્દોનો ભરોસો નહીં, ચહલ સાથે અણબનાવ વચ્ચે બોલી RJ મહવશ
ADVERTISEMENT
તેઓ વર્ષ 2015થી 2017 દરમિયાન CBFCના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અનેક ફિલ્મોના સેન્સર સંબંધિત નિર્ણયો ચર્ચાનો વિષય બન્યા હતા અને તેઓ સતત સમાચારોમાં રહ્યા હતા.
પહેલાજ નિહલાનીના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અનેક કલાકારો, નિર્માતાઓ અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમના નિધનથી ભારતીય ફિલ્મ ઉદ્યોગે એક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.