બ્રેકિંગ ન્યુઝ
બ્રેકિંગ ન્યુઝ
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર 33 હોદેદારો સસ્પેન્ડ કર્યા છે. જેમાં ચકલાસી શહેર મહેમદાવાદ, શહેર મહુધા અને ખેડાના હોદેદારોનો સમાવેશ થાય છે.
22 મિનિટ પહેલા
અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઈટને ધમકી મળી છે. મુસાફરો નિકળ્યા બાદ એરલાઇન્સ સ્ટાફને મળ્યો ધમકીભર્યો પત્ર મળ્યો હતો જેમાં ફલાઇટમા બોમ્બ છે તેવુ લખાણ મળી આવ્યુ છે. હાલ પત્રના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
2 કલાક પહેલા
યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા અને કોમેડિયન સમય રૈના અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ મુંબઈ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગને ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પત્રમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
2 કલાક પહેલા
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'પ્રયાગરાજ મહાકુંભના અવસર પર, રેલવેનું કામ 8 સ્ટેશનો પર ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. રાજ્ય વહીવટ અને ન્યાયી વહીવટ સાથે સંકલન ચાલી રહ્યું છે. રવિવારે (09 ફેબ્રુઆરી 2025) પ્રયાગરાજ જંક્શનથી ૩૩૦ ટ્રેનો રવાના થઈ હતી. ક્યાંય કોઈ સમસ્યા નથી. જો કોઈ અફવા ફેલાવવાનો પ્રયાસ કરે છે, તો તેના પર ધ્યાન ન આપો.'
3 કલાક પહેલા
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી.
3 કલાક પહેલા
નડિયાદમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ કેસ, ત્રણ લોકોના મૃત્યુ સંબંધે FSL ટીમનો ગાંધીનગરથી રિપોર્ટ, રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઈ આવેલ નથી, હાલ પૂરતું લઠ્ઠાકાંડની શંકાઓ પર પૂર્ણવિરામ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું બહાર આવે છે તેના પરથી સ્પષ્ટ થઈ શકે છે કે લઠ્ઠાકાંડ હતો કે નહીં?
5 કલાક પહેલા
પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચાના આ રાષ્ટ્રવ્યાપી પ્રેરણા સંવાદનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થવાનું છે. ધોરણ 10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહના કુલ 14 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6 થી 12 સુધીના વર્ગોના સમગ્રતયા 61 લાખ 49 હજાર 343 વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રેરણા માર્ગદર્શન તેમની આગામી પરીક્ષાઓ ના સંદર્ભમાં મેળવશે. પરીક્ષા પે ચર્ચાનો આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ ,સોમવારે સવારે ૧૧ કલાકે યોજાવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિસરમાંથી છાત્રો સાથે પરીક્ષાને અનુલક્ષીને વાર્તાલાપ કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે.
7 કલાક પહેલા
મહાકુંભ મેળા વિસ્તારના અરૈલ બાજુના સેક્ટર 23માં આગ લાગી, મહારાજા ભોગ નામની ખાદ્યપદાર્થોની દુકાનમાં આગ લાગી, ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, ઘટનામાં કોઈ જાનહાનિ નહિ ગેસ સિલિન્ડર લિકેજથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
15 કલાક પહેલા
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના ચાર લોકો સહિત કુલ પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા છે.. એક બાળકીનો પગ લપસતા તે તળાવમાં ડૂબી રહી હતી.. જેને બચાવવા જતા તેમની માતા પણ ડૂબી ગયા હતા. અને બાદમાં એક પછી એક ત્રણ બાળકો એકબીજાને બચાવવામાં ડૂબી ગયા હતા.
16 કલાક પહેલા
તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતા મહિલાનો પર્દાફાશ, છેલ્લા 20 વર્ષથી દોરી, ધાગા અને વિધિ કરતા હતા મહિલા, લોકો પાસેથી 10 હજારથી લઈને 4 લાખ રૂપિયા કરતા હતા વસૂલ, વિજ્ઞાન જાથાના દરોડા દરમિયાન પાડોશીઓ મહિલા પર કર્યા આરોપ, 20 ટકા વ્યાજે રૂપિયા આપતા હોવાનો પાડોશીઓનો આરોપ, દોરા-ધાગા અને વ્યાજનો ધંધો કરતા હોવાનો પાડોશીઓનો આરોપ
21 કલાક પહેલા
વધુ બતાવો
લાઇવ ટીવી