બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / લાઈફસ્ટાઈલ / જો રોજ સવારમાં ઉઠતાવેંત કરી લેશો આ 5 કામ, તો વગર જીમ ગયે ઘટી જશે વજન!
Last Updated: 02:56 PM, 27 April 2024
વધતું વજન કોઈને પણ પરેશાન કરી શકે છે. સ્થૂળતા તેની સાથે બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ લાવે છે. આ બીમારીઓ ધીમે ધીમે તમારા શરીરને ખોખલું બનાવી દે છે. ત્યારે લોકો સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે ઘણી રીતો અપનાવે છે. વજન ઘટાડવા માટે લોકો પૈસા પણ પાણીની જેમ ખર્ચવા તૈયાર થઈ જાય છે. ડાયેટ ફોલો કરવાની હોય કે જીમમાં જવાનું હોય, લોકો વજન ઘટાડવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. પરંતુ ઘણી વખત આટલા પ્રયત્નો પછી પણ વજન ઓછું થતું નથી અને લોકો નિરાશ થવા લાગે છે. જો તમે ખરેખર વજન ઘટાડવા ઇચ્છો છો, તો તમારે તંદુરસ્ત આહાર અને કસરતની સાથે જ જીવનશૈલીમાં ઘણા ફેરફારો કરવા પડશે. તંદુરસ્ત આહાર માટે, ડાયેટમાં પ્રોટીન, ફાઇબર અને તમામ પ્રકારના પોષક તત્વોનો સમાવેશ કરવો પડશે. ત્યારે આજે જાણીએ સવારની એવી 5 આદતો વિશે કે જેને જો તમે તમારી દિનચર્યામાં સામેલ કરશો તો જિમ ગયા વગર થોડા મહિનામાં જ સ્થૂળતાથી છુટકારો મળી શકે છે.
સવારે ઉઠતાની સાથે જ ચાલવા જતા પહેલા એક-બે ગ્લાસ પાણી પી લો.સવારે ઉઠીને જો હુંફાળું પાણી પીવો છો તો શરીરનું મેટાબોલિઝમ પણ સુધરશે. સારા મેટાબોલિઝમને કારણે તમારું પાચનતંત્ર સારું રહેશે. હૂંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે, જે શરીરમાં વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને તમને ફિટ રાખે છે. જો તમે ઈચ્છો તો લીંબુ અને મધ મિક્સ કરીને હુંફાળું પાણી પણ પી શકો છો. આ સિવાય તમે ઇચ્છો તો સવારે હર્બલ ટી પણ પી શકો છો.
સવારની કસરત ક્યારેય ચૂકશો નહીં, તે મેટાબોલિઝમ સુધારે છે. સારું મેટાબોલિઝમ વજન ઘટાડવામાં મદદ કરે છે. સવારે ધ્યાન અથવા શ્વાસોચ્છવાસની કસરત કરો. તેનાથી તમારો તણાવ ઓછો થશે. વધુ પડતા તણાવથી વજન વધવાની શક્યતા વધી જાય છે.
રોજ સવારે ઉઠીને ઓછામાં ઓછા 20 મિનિટ સૂર્યના પ્રકાશમાં ચાલવું જોઈએ. આનાથી વજન ઝડપથી ઘટે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય છે તેમનું વજન ઝડપથી વધવા લાગે છે. એટલા માટે સવારના કુમળાં તડકામાં ચાલવાથી શરીરને વિટામીન ડી મળે છે. જે શરીર અને ત્વચા માટે સારું હોય છે.
યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરો. દરરોજ યોગ કરવાથી શારીરિક અને માનસિક તણાવ ઘટે છે, જેના કારણે વજન સરળતાથી ઓછું થવા લાગે છે. સૂર્ય નમસ્કાર, કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવા યોગાસનો અને પ્રાણાયામ કરવા જોઈએ, જેનાથી તણાવ ઘટે છે અને તમને રિલેક્સ ફિલ થાય છે.
સવારના નાસ્તામાં માત્ર પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે ઈંડા અને પ્રોટીન શેકનું સેવન કરો. તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. પેટ ભરેલું લાગવાથી વારંવાર ખાવાની ઇચ્છા નહીં થાય, જે વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થશે. તમે તમારા નાસ્તામાં સોયા, બીન્સ, સ્પ્રાઉટ્સ, દહીંને પણ સામેલ કરી શકો છો. દરરોજ સવારે તમારા ભોજન અને નાસ્તાની યોજના કરવાની ખાતરી કરો. તમારી ડાયેટમાં એવા ખોરાકનો સમાવેશ કરો જેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય.
દરેક દિવસ માટે એક ધ્યેય સેટ કરવો જોઈએ. જ્યાં સુધી તમે તમારા ધ્યેય વિશે ગંભીર અને જાગૃત ન હોવ, ત્યાં સુધી તમે તેને પ્રાપ્ત કરી શકશો નહીં. તમે શું કરી રહ્યા છો, કેટલું અને શું ખાઓ છો, ખાતી વખતે પણ તમે શું વિચારી રહ્યા છો, આ બધું તમારા શરીર પર અસર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ