બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
VTV / સ્પોર્ટસ / Cricket / શું KL રાહુલ છોડી દેશે LSG ટીમની કેપ્ટનશીપ? શરમજનક હાર બાદ ટીમ મેનેજમેન્ટ લઇ શકે છે મોટો નિર્ણય
Last Updated: 07:04 PM, 9 May 2024
હાલમાં IPL મહત્વપૂર્ણ પડાવમાં છે. પ્લે ઓફમાં આવવા માટે અનેક ટીમો વચ્ચે ટક્કર ચાલી રહી છે. ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સ કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. IPL 2024 માં બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌને 10 વિકેટથી હરાવ્યું. આ મેચમાં લખનૌને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો હૈદરાબાદે માત્ર 9.4 ઓવરમાં કરી લીધો હતો. આ શરમજનક હાર બાદ હવે કેએલ રાહુલની કેપ્ટન્સી જોખમમાં છે. આ ઉપરાંત લખનઉની ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું ગણિત પણ ખોરવાઈ ગયું છે. તેણે કોઈપણ કિંમતે આ બંને મેચ જીતવી પડશે. આ પછી પ્લેઓફમાં પહોંચવાનો દાવો વધુ મજબૂત થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો કે હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેએલ રાહુલ આ બાકીની બે મેચ પહેલા કેપ્ટનશીપ છોડી શકે છે. તેનું કારણ એ છે કે રાહુલ પોતાની બેટિંગ પર ધ્યાન આપવા માંગે છે. કેએલ રાહુલ 2022ની સિઝનમાં 17 કરોડ રૂપિયાના કરાર સાથે લખનૌની ટીમ સાથે જોડાયો હતો. આ ટીમની આ પ્રથમ સિઝન હતી. પરંતુ હવે અહેવાલો દાવો કરી રહ્યા છે કે ફ્રેન્ચાઇઝી 2025 માં યોજાનારી IPL મેગા હરાજી પહેલા કેએલ રાહુલને રિલીઝ કરી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લખનૌ સુપરજાયન્ટ્સની 10 વિકેટે કારમી હાર બાદ ટીમના કેપ્ટન કેએલ રાહુલની કેપ્ટનશીપ પણ જોખમમાં છે. LSG આઈપીએલ પ્લેઓફની રેસમાં યથાવત છે પરંતુ છેલ્લી બે મેચોમાં ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તે લીગની બાકીની બે મેચોમાં સુકાની પદ છોડી શકે છે. તેની જગ્યાએ વાઈસ કેપ્ટનને કેપ્ટન બનાવી શકાય છે. આ સિવાય હવે કેએલ રાહુલના આ ટીમ સાથે ચાલુ રાખવા અંગે શંકા છે. 2022ની હરાજીમાં રેકોર્ડ 17 કરોડ રૂપિયામાં લખનૌની ટીમમાં સામેલ થયેલા કેએલ રાહુલને 2025માં મોટી હરાજી પહેલા ટીમ દ્વારા જાળવી રાખવામાં આવે તેવી શક્યતા ઓછી છે. જો કે આ દરમિયાન એવી અટકળો છે કે સુકાની પોતે પોતાનું પદ છોડીને આગામી બે મેચોમાં તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
KL Rahul @klrahul is a world class cricketer (in spite of a dip in his strike rate & confidence). This owner (or any IPL franchise owner) has no right to behave so rudely to cricketers in public. This is as bad as humiliating the game itself. We all saw this coming in IPL,… pic.twitter.com/BJ6I4ErdEx
— Satish Acharya (@satishacharya) May 9, 2024
સનરાઇઝર્સના ઓપનર ટ્રેવિસ હેડ (30 બોલમાં અણનમ 89 રન) અને અભિષેક શર્મા (28 બોલમાં 75 રન) એ 10 ઓવરમાં 167 રનના ટાર્ગેટ પૂરી કરી લીધા બાદ લખનૌ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોએન્કાના અને કેએલ રાહુલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે સોશિયલ મીડિયા પર ગુસ્સો જોવા મળ્યો હતો. આ પહેલા હૈદરાબાદની આ જ વિકેટ પર મહેમાન ટીમના બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ ઉપરાંત પાવરપ્લેમાં રાહુલની ધીમી બેટિંગ (33 બોલમાં 29 રન) પણ આ આકર્ષક લીગમાં લખનૌના અપેક્ષિત કરતાં ખરાબ પ્રદર્શનનું મુખ્ય કારણ છે.
વધુ વાંચો : કોણ છે કે. એલ. રાહુલને પર ગુસ્સે થનાર આ બિઝનેસમેન? 3.5 અરબ ડૉલરની પ્રોપર્ટીના છે માલિક
ભારતના આ સ્ટાર બેટ્સમેને 12 મેચમાં 460 રન બનાવ્યા છે અને તે સિઝનમાં ફરી એકવાર 500 રનનો આંકડો પાર કરવાની નજીક છે પરંતુ સમસ્યા તેનો સ્ટ્રાઈક રેટ છે જે 136.09 છે. જો કે, લખનૌ ટીમની આશા હજુ પણ યથાવત છે કારણ કે ટીમ 14મી મેના રોજ નવી દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ અને 17મી મેના રોજ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેની બાકીની બે મેચો જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જો કે, માઈનસ .760 ના નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો કરવો ખૂબ જ મુશ્કેલ હશે. જો રાહુલ સુકાની પદ છોડે છે તો વર્તમાન સિઝનમાં ટીમનો સૌથી પ્રભાવશાળી બેટ્સમેન અને વાઇસ કેપ્ટન નિકોલસ પુરન બાકીની બે મેચોમાં આ જવાબદારી નિભાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT