બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPLની ફાઇનલમાં કોની સામે થઇ શકે છે RCBનો સામનો? કર્યો હરભજનસિંહે ખુલાસો

IPL 2024 / IPLની ફાઇનલમાં કોની સામે થઇ શકે છે RCBનો સામનો? કર્યો હરભજનસિંહે ખુલાસો

Last Updated: 03:40 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 વર્ષમાં RCBની ટીમ એક પણ વખત IPLનું ટાઇટલ નથી જીતી શક્યું. ત્યારે આ વખતે અનેક ક્રિકેટ ફેન્સ એવું ઈચ્છે છે કે કોહલીની RCB આ IPLની ટુર્નામેન્ટ જીતે. હરભજન સિંહે પણ ભવિષ્યવાણી કરી છે કે, RCB જ આ ટાઇટલ જીતશે.

IPLની પ્રથમ સ્ટેજની 70 મેચો પુરી થઈ ગઈ છે, પોઇન્ટ ટેબલમાં KKR પહેલા નંબરે, SHR બીજા, RR ત્રીજા અને RCB ચોથા નંબરે રહ્યું છે. જેમાં RCBની ટીમ માંડ માંડ પ્લે ઑફમા સામેલ થઇ છે. RCBએ છેલ્લા 6માંથી 6 મુકાબલા જીતીને પોતાની જગ્યા પ્લેઑફમાં બનાવી છે. તેવામાં હરભજન સિંહે RCBને લઇ ભવિષ્યવાણી કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે ભવિષ્યવાણી કરતા જણાવ્યું છે કે, RCB ફાઈનલમાં પોંહચશે. સાથે તેને પ્રીડિક્શનમાં એ પણ જણાવ્યું છે કે, ફાઈનલમાં RCB સામે કઈ ટીમ ટકરાશે. હરભજન સિંહના મત મુજબ RCB અને KKR વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાશે. હરભજનકહ્યું કે, કોહલી અને ગંભીર ફાઈનલમાં ટકરાશે.

Harbhajan-Singh

સાથે તેને એવી પણ ભવિષ્યવાણી કરી છે કે, આ ફાઈનલમાં RCB જીતી જશે. તેને આગળ જણાવ્યું કે, RCB એક એક રન માટે જોરદાર મહેનત કરી રહી છે. જો તેને આ એનર્જી સાથે જ રમવાનું ચાલુ રાખ્યું તો તેમને હરાવવા મુશ્કેલ રહેશે.

વધુ વાંચો: 6 ફેક્ટર્સ અને 17 વર્ષની રાહ..., જાણો કેવી રીતે RCBએ નસીબ પલટાવી દીધું, આ કારણોથી પ્લેઓફમાં મળી એન્ટ્રી

ઉલ્લેખનીય છે કે, RCB પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. તેને ફાઈનલમાં પોંહચવા માટે હજુ પણ ઉપરા- ઉપર બે મેચો જીતવી પડશે. જેમાં 22મીએ RR સામે એલિમિનેટરની મેચ અને આ મેચમાં જીત મળે તો 24મીએ બીજી ક્વોલીફાયર મેચ પણ જીતવી પડશે. તો જ RCB ફાઈનલમાં પોંહચી શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

PlayOff Match Harbhajan Singh on Virat Kohli Harbhajan Singh News IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ