બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ભારત / NRI News / વિશ્વ / થાઈલેન્ડ જવાનો સસ્તો અને સારો મોકો, આ તારીખ સુધી ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી

NRI ન્યૂઝ / થાઈલેન્ડ જવાનો સસ્તો અને સારો મોકો, આ તારીખ સુધી ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી

Last Updated: 03:18 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Visa Free Latest News : કોરોના રોગચાળા પછી ઘણા દેશોએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને વધુને વધુ લોકોને આકર્ષવા માટે વિઝા નિયમોમાં છૂટછાટની જાહેરાત કરી

Visa Free : વિશ્વભરના દેશોના પ્રવાસન ઉદ્યોગને કોવિડ -19 રોગચાળા પછી નોંધપાત્ર અસર થઈ હતી. આ તરફ હવે રોગચાળા પછી ઘણા દેશોએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને વધુને વધુ લોકોને આકર્ષવા માટે વિઝા નિયમોમાં છૂટછાટની જાહેરાત કરી. ઘણા દેશો ભારતથી જતા પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી પણ આપી રહ્યા છે. તાજેતરમાં શ્રીલંકાની સરકારે વિઝા છૂટછાટને 31 મે સુધી લંબાવી હતી અને હવે થાઈલેન્ડ સરકારે પણ 11 નવેમ્બર 2023 સુધી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે ભારતની શાળાઓમાં ઉનાળાની રજાઓ આવવાની છે અને ઘણા લોકો રજાઓ મનાવવા માટે દેશ-વિદેશમાં પ્રવાસે જશે. જો તમે પણ થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સારા સમાચાર છે.

થાઈલેન્ડે વધુ 6 મહિના માટે વિઝા નિયમો હળવા કર્યા

ગયા વર્ષે એટલે કે 2023માં થાઈલેન્ડે ભારત સહિત ઘણા દેશોના નાગરિકો માટે 31 મે 2024 સુધી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. દક્ષિણ એશિયાના ટાપુ દેશે હવે ભારત અને તાઈવાન માટે વિઝા નિયમોમાં છૂટછાટને વધુ 6 મહિના માટે લંબાવી છે. નવા આદેશ મુજબ હવે ભારતીયોને 11 નવેમ્બર 2024 સુધી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ થાઈલેન્ડના વડા પ્રધાન શ્રેથા થાવિસિને 7 મેના રોજ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.તમને જણાવી દઈએ કે, ભારત અને તાઈવાનના નાગરિકો 30 દિવસ સુધીની માન્યતા સાથે ફ્રી વિઝા મેળવી શકે છે.

વધુ વાંચો : ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટી, મુસ્લિમની વધી, રિપોર્ટના આંકડા ચોંકી જાય તેવા

શ્રીલંકાએ પણ વિઝા નિયમોમાં છૂટછાટને લંબાવી

શ્રીલંકાની સરકારે પણ 6 મેના રોજ ભારત, ચીન, મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, રશિયા અને જાપાનથી આવતા લોકો માટે વિઝા નિયમો માં છૂટછાટ વધારવાની જાહેરાત કરી છે. હવે 31 મે 2024 સુધી વિઝા વિના શ્રીલંકાની મુલાકાત લઈ શકાશે. ભારતથી શ્રીલંકા જતા નાગરિકો શ્રીલંકાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને 30 દિવસની માન્યતા સાથે વિઝા માટે ઑનલાઇન અરજી કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ