બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વિટામિન C થી ભરપૂર લીંબુ પાણી આ લોકોએ ન પીવું, શરીરમાં થઈ શકે અનેક સમસ્યા
Last Updated: 09:55 AM, 27 April 2024
ઉનાળો આવી ગયો છે અને આ ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે લોકો લીંબુ પાણી વધુ પીવે છે. ગરમીથી બચવા સિવાય, મોટાભાગના લોકો લીંબુ પાણી એટલા માટે પણ પીવે છે કારણ કે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. અલબત્ત, લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક લોકો માટે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. નિષ્ણાતો કહે છે કે વધુ પડતું લીંબુ પાણી સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.
મીડિયાના અહેવાલો પ્રમાણે, એક હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે એન્ટીએજિંગ હોય કે પછી વજન ઘટાડવાની વાત હોય, લોકો હંમેશા લીંબુ પાણી પર વિશ્વાસ કરે છે. લીંબુમાં વિટામિન સી, ઝિંક અને ફોલિક એસિડ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દરેક સારી વસ્તુના નુકસાન પણ હોય છે. આ જ નિયમ લીંબુ પાણી પર પણ લાગૂ થાય છે. ચાલો જાણીએ કે કયા લોકોએ લીંબુ પાણી ન પીવું જોઈએ -
નિષ્ણાતોનું કહેવું છે કે રોજ વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી દાંત પર પણ ખરાબ અસર થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડની માત્રા વધુ હોય છે, તેથી તમારા દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા થઈ શકે છે. વધુ પડતા લીંબુ પાણીથી દાંતના ઈનેમલને પણ અસર થાય છે.
જે લોકોને પહેલાથી જ ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી એસિડિટી વધવાનું જોખમ હોય છે. જેમને એસિડિટીની સમસ્યા હોય તેમણે ખાલી પેટ લીંબુ પાણી ન પીવું જોઈએ.
જો કોઈને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો પણ તેણે ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આ કારણે તમારી કિડની પર વધારાનું દબાણ આવી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે ક્રોનિક કિડની રોગથી પીડિત લોકોએ ખાલી પેટ લીંબુ પાણી પીવું જોઈએ નહીં.
આ સિવાય વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે. તેમાં ટાયરામાઈન નામનું એમિનો એસિડ મળી આવે છે, જેના કારણે લોહી આપણા મગજ સુધી ઝડપથી પહોંચે છે અને માઈગ્રેન સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ