બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં મોટો બદલાવ: ટીમ ઈન્ડિયાની વોર્મ-અપ મેચ હવે 3 દિવસની રહેશે, બદલાયું સમગ્ર શેડ્યૂલ
Last Updated: 03:34 PM, 1 August 2026
અગાઉ ભારત અને શ્રીલંકા લોકલ ઇલેવન વચ્ચેની વોર્મ-અપ મેચ 4 દિવસની રાખવામાં આવી હતી. હવે આ મેચને એક દિવસ ઘટાડી 3 દિવસની કરવામાં આવી છે. આ ફેરફારથી ટીમના તૈયારીના કાર્યક્રમમાં થોડો બદલાવ આવ્યો છે.
ADVERTISEMENT
ભારતીય ટીમ અને શ્રીલંકા લોકલ ઇલેવન વચ્ચે રમાનારી વોર્મ-અપ મેચ હવે 7 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ મુકાબલો કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ પર રમાશે. આ મેદાન બીજા ટેસ્ટના સ્થળ એસએસસી સ્ટેડિયમની નજીક આવેલું છે. ભારતીય ટીમ 4 ઓગસ્ટે શ્રીલંકા માટે રવાના થશે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત વખતે વોર્મ-અપ મેચ 4 દિવસની હોવાની માહિતી આપી હતી. હવે બોર્ડે ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓને આ ફેરફાર વિશે જાણ કરી દીધી છે. જોકે મેચનો સમય એક દિવસ ઓછો કરવાનો ચોક્કસ કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. BCCI અને ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ આ ફેરફારની પુષ્ટિ કરી છે.
ADVERTISEMENT
ભારતીય ટીમે જૂન બાદ કોઈ ટેસ્ટ મેચ રમી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના વર્તમાન ચક્ર હેઠળ રમાનારી શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં આ વોર્મ-અપ મેચ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ તૈયારી સાબિત થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ માટે પિચ અને પરિસ્થિતિને સમજવાની આ સારી તક રહેશે. ખાસ વાત એ છે કે આ વોર્મ-અપ મેચનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ CWG 2026માં નીરજ ચોપડાનો સિલ્વર મેડલ! યશવીર સિંહે જીત્યો બ્રોન્ઝ
ADVERTISEMENT
ભારતીય ટીમનો 3 દિવસનો વોર્મ-અપ મુકાબલો 7થી 9 ઓગસ્ટ દરમિયાન કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ પર રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગોલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોના એસએસસી સ્ટેડિયમમાં રમાશે.
ADVERTISEMENT
યુવા બેટ્સમેન સાઈ સુદર્શન પગના અંગૂઠાની ઇજામાંથી ઝડપથી સાજા થઈ રહ્યા છે. તેઓ બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબ બાદ હવે ફરી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી ચૂક્યા છે. ટીમ શ્રીલંકા જવા રવાના થાય તે પહેલાં તેઓ સંપૂર્ણ ફિટ થઈ જાય તેવી આશા છે.
બીજી તરફ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ઘૂંટણની સમસ્યામાંથી સારી રીતે બહાર આવી રહ્યા છે. તેમને શરતી રીતે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં તેઓ સંપૂર્ણ ફિટ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
શુભમન ગિલ (કપ્તાન), કેએલ રાહુલ (ઉપકપ્તાન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાડ, દેવદત્ત પડિક્કલ અને સારાંશ જૈનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.