બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં મોટો બદલાવ: ટીમ ઈન્ડિયાની વોર્મ-અપ મેચ હવે 3 દિવસની રહેશે, બદલાયું સમગ્ર શેડ્યૂલ

સ્પોર્ટ્સ / ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં મોટો બદલાવ: ટીમ ઈન્ડિયાની વોર્મ-અપ મેચ હવે 3 દિવસની રહેશે, બદલાયું સમગ્ર શેડ્યૂલ

Published By: Jinal Chauhan

Last Updated: 03:34 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં શ્રીલંકા પ્રવાસે જવા તૈયાર છે. આ પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ મેચોની સિરીઝ રમાવાની છે. સિરીઝ પહેલાં ટીમના શેડ્યૂલમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.

અગાઉ ભારત અને શ્રીલંકા લોકલ ઇલેવન વચ્ચેની વોર્મ-અપ મેચ 4 દિવસની રાખવામાં આવી હતી. હવે આ મેચને એક દિવસ ઘટાડી 3 દિવસની કરવામાં આવી છે. આ ફેરફારથી ટીમના તૈયારીના કાર્યક્રમમાં થોડો બદલાવ આવ્યો છે.

વોર્મ-અપ મેચ હવે માત્ર 3 દિવસની

ભારતીય ટીમ અને શ્રીલંકા લોકલ ઇલેવન વચ્ચે રમાનારી વોર્મ-અપ મેચ હવે 7 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ મુકાબલો કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ પર રમાશે. આ મેદાન બીજા ટેસ્ટના સ્થળ એસએસસી સ્ટેડિયમની નજીક આવેલું છે. ભારતીય ટીમ 4 ઓગસ્ટે શ્રીલંકા માટે રવાના થશે.

BCCIએ ટીમને ફેરફારની જાણ કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત વખતે વોર્મ-અપ મેચ 4 દિવસની હોવાની માહિતી આપી હતી. હવે બોર્ડે ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓને આ ફેરફાર વિશે જાણ કરી દીધી છે. જોકે મેચનો સમય એક દિવસ ઓછો કરવાનો ચોક્કસ કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. BCCI અને ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ આ ફેરફારની પુષ્ટિ કરી છે.

ટેસ્ટ સિરીઝ પહેલાં આ મેચ કેમ મહત્વની?

ભારતીય ટીમે જૂન બાદ કોઈ ટેસ્ટ મેચ રમી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના વર્તમાન ચક્ર હેઠળ રમાનારી શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં આ વોર્મ-અપ મેચ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ તૈયારી સાબિત થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ માટે પિચ અને પરિસ્થિતિને સમજવાની આ સારી તક રહેશે. ખાસ વાત એ છે કે આ વોર્મ-અપ મેચનું લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ CWG 2026માં નીરજ ચોપડાનો સિલ્વર મેડલ! યશવીર સિંહે જીત્યો બ્રોન્ઝ

ભારતના શ્રીલંકા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ટીમનો 3 દિવસનો વોર્મ-અપ મુકાબલો 7થી 9 ઓગસ્ટ દરમિયાન કોલંબોના એનસીસી ગ્રાઉન્ડ પર રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગોલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોના એસએસસી સ્ટેડિયમમાં રમાશે.

બુમરાહ અને સાઈ સુદર્શનની ફિટનેસ પર સારા સમાચાર

યુવા બેટ્સમેન સાઈ સુદર્શન પગના અંગૂઠાની ઇજામાંથી ઝડપથી સાજા થઈ રહ્યા છે. તેઓ બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબ બાદ હવે ફરી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી ચૂક્યા છે. ટીમ શ્રીલંકા જવા રવાના થાય તે પહેલાં તેઓ સંપૂર્ણ ફિટ થઈ જાય તેવી આશા છે.

બીજી તરફ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ઘૂંટણની સમસ્યામાંથી સારી રીતે બહાર આવી રહ્યા છે. તેમને શરતી રીતે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં તેઓ સંપૂર્ણ ફિટ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમ

શુભમન ગિલ (કપ્તાન), કેએલ રાહુલ (ઉપકપ્તાન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાડ, દેવદત્ત પડિક્કલ અને સારાંશ જૈનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, IND vs SL Test Series India vs Sri Lanka

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ