બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હળવદમાં વરસાદી કહેર, આ ગામનો માલધારી યુવક તણાયો, સઘન શોધખોળ બાદ મળ્યો મૃતદેહ
Last Updated: 10:06 PM, 1 August 2026
હળવદ-માળિયા મિયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે શનિવારે એક દુઃખદ ઘટના સામે આવી છે. માલઢોર ચરાવવા માટે ગામની સીમ વિસ્તારમાં ગયેલા એક માલધારી યુવકનું વોકરાના પાણીમાં તણાઈ જતાં મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
લાંબી શોધખોળ બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ગેલાભાઈ નોંઘાભાઈ ભરવાડ (ઉંમર 42 વર્ષ), રહેવાસી જૂના ઘાટીલા ગામ, માલઢોર ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા. આ દરમિયાન તેઓ વોકરાના પાણીમાં તણાઈ ગયા હતા.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતા ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા
ઘટનાની જાણ થતાં ગામલોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ ગેલાભાઈનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતમાં વરસાદનો કહેર, 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, કીમ નદી કાંઠે હાઈ એલર્ટ
મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો
ADVERTISEMENT
બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે સમગ્ર જૂના ઘાટીલા ગામમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.