બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:27 PM, 1 August 2026
1/7
હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા તિથિનો પ્રારંભ 27 ઓગસ્ટે સવારે 9:09 પર થશે અને તેનો અંત 28 ઓગસ્ટે સવારે 9:49 પર થશે. કેમ કે 28 ઓગસ્ટે પૂર્ણિમા ઉદયા તિથિમાં રહેશે તેથી રક્ષાબંધનનો તહેવાર આ જ દિવસે મનાવવામાં આવશે. 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે બહેનો સવારે 5:57 થી સવારે 9:48 સુધીના સમયમાં પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી શકશે.
2/7
દર વર્ષે શ્રાવણ પૂર્ણિમા તિથિ પર રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભાઈ-બહેનના સ્નેહ, વિશ્વાસ અને અટૂટ સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધીને તેમના સ્વસ્થ, સુખી જીવન અને દીર્ઘાયુની કામના કરે છે. બદલામાં ભાઈ પોતાની બહેનની રક્ષા અને દરેક મુશ્કેલીમાં તેમની સાથે ઊભા રહેવાનું વચન આપે છે. દર વર્ષની જેમ આ વખતે પણ લોકોના મનમાં રક્ષાબંધનની સાચી તિથિ અને શુભ સમયને લઈને ઘણા સવાલો છે. ચાલો જાણીએ કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે મનાવવામાં આવશે.
3/7
4/7
રક્ષાબંધન પર શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાથી આ તહેવારનું મહત્વ વધી જાય છે.. જેમાં 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે બહેનો સવારે 5 વાગ્યા અને 57 મિનિટથી સવારે 9 વાગ્યા અને 48 મિનિટ સુધીના સમયમાં પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી શકશે. આ અવધિને રક્ષાસૂત્ર બાંધવા માટે શુભ માનવામાં આવે છે. ઉદયા તિથિને કારણે 28 ઓગસ્ટે આખો દિવસ તહેવાર મનાવી શકાશે. તેથી બહેનો સવારે 11 વાગ્યા અને 56 મિનિટથી બપોરે 12 વાગ્યા અને 48 મિનિટ સુધીના અભિજિત મુહૂર્તમાં પણ ભાઈની કલાઈ પર રાખડી બાંધી શકશે.
5/7
ભદ્રા કાળમાં રક્ષાસૂત્ર બાંધવું વર્જિત માનવામાં આવે છે. રાહતની વાત એ છે કે 28 ઓગસ્ટ 2026 ના રોજ રક્ષાબંધનના દિવસે ભદ્રા નહીં રહે. જોકે શ્રાવણ પૂર્ણિમા પર 27 ઓગસ્ટે સવારે 9 વાગ્યા અને 8 મિનિટથી રાત્રે 9 વાગ્યા અને 32 મિનિટ સુધી ભદ્રાનો પ્રભાવ રહેશે. પરંતુ 28 ઓગસ્ટે પૂર્ણિમા ઉદયા તિથિ સાથે સાથે ભદ્રા રહિત પણ રહેશે.
6/7
રક્ષાબંધન સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ ધાર્મિક માન્યતા મહાભારતકાળથી જોડાયેલી છે. જેમાં એક અવસરે ભગવાન શ્રીકૃષ્ણની આંગળી સુદર્શન ચક્રને કારણે ઘાયલ થઈ ગઈ હતી. તે સમયે દ્રૌપદીએ મોડું કર્યા વગર પોતાની સાડીનો એક ભાગ ફાડીને તેમની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીના આ સ્નેહ અને સમર્પણથી ભાવુક થઈને શ્રીકૃષ્ણે આજીવન તેમની રક્ષાનો સંકલ્પ લીધો. બાદમાં જ્યારે દ્રૌપદીના સન્માન પર સંકટ આવ્યું ત્યારે શ્રીકૃષ્ણે તેમની લાજ બચાવીને પોતાનું વચન નિભાવ્યું. આ જ પ્રસંગને ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને રક્ષાબંધનનો તહેવાર તે જ ભાવના સાથે મનાવવામાં આવે છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ