ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભયાનક પૂર બાદ 5 દિવસ પછી પણ 2,500થી વધુ લોકો લાપતા, મૃ*ત્યુઆંક 788 પર પહોંચ્યો; અનેક અજાણ્યા મૃ*તદેહોની ઓળખ હજુ બાકી

Nepal Flood / ભયાનક પૂર બાદ 5 દિવસ પછી પણ 2,500થી વધુ લોકો લાપતા, મૃ*ત્યુઆંક 788 પર પહોંચ્યો; અનેક અજાણ્યા મૃ*તદેહોની ઓળખ હજુ બાકી

Published By: Jinal Chauhan

Last Updated: 11:16 AM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં ભયાનક પૂર બાદ પાંચ દિવસ વીતી ગયા છે છતાં અનેક વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. પૂરના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે અને 2,500થી વધુ લોકો હજુ લાપતા છે.હજારો પરિવારો પોતાના સ્વજનોની શોધમાં લાગ્યા છે. અનેક મૃતદેહો મળી આવ્યા છે પરંતુ તેમની ઓળખ થઈ શકી નથી. બીજી તરફ નદીઓમાં પાણીનું સ્તર ફરી વધતાં બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.

ADVERTISEMENT

નેપાળમાં ભયાનક પૂર બાદ પાંચ દિવસ વીતી ગયા છતાં તબાહીનો અંત આવ્યો નથી.પૂરના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે જ્યારે 2,500થી વધુ લોકો હજુ લાપતા છે.અનેક મૃતદેહો મળી આવ્યા છે પરંતુ તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.બીજી તરફ વધતું પાણી, મલબો અને બંધ થયેલા રસ્તાઓને કારણે બચાવ કામગીરી પણ પડકારજનક બની છે.પૂર અને ભારે વરસાદના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. અનેક ગામો અને રસ્તાઓ પાણી તથા કાદવમાં ગરકાવ થઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો હજુ પણ રાહત અને બચાવની રાહ જોઈ રહ્યા છે.

ત્રિશૂલી નદીમાં ફરી આવ્યો ઉછાળો

મધ્ય નેપાળમાં ત્રિશૂલી નદીનું પાણી ફરી વધતાં ઘ્યાલચોક-ચારૌદી પુલ ભારે પ્રવાહમાં ધોવાઈ ગયો. લગભગ 130 મીટર લાંબો આ પુલ ગોરખા જિલ્લાના ઘ્યાલચોક વિસ્તારને પૃથ્વી હાઈવે સાથે જોડતો હતો. પુલ તૂટી જતાં આસપાસના લગભગ 400 પરિવારો માટે મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે.આ પુલ સ્થાનિક ખેડૂતો માટે પણ મહત્વનો હતો. ખેડૂતો અહીંથી દૂધ અને શાકભાજી ચારૌદીની કૃષિ સહકારી સંસ્થા સુધી પહોંચાડતા હતા. હવે પુલ તૂટી જતાં તેમની ઉપજ બજાર સુધી પહોંચાડવી મુશ્કેલ બની છે.

સુરંગોમાં હજુ પણ ચાલી રહી છે શોધ

પૂર બાદ સૌથી મુશ્કેલ બચાવ કામગીરી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગોમાં ચાલી રહી છે. રસુવાના અપર ત્રિશૂલી-1 પ્રોજેક્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નેપાળી સેના સાથે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતો પણ કામ કરી રહ્યા છે.ભારતીય નિષ્ણાતોની મદદથી રસુવામાં બે દિવસમાં લગભગ 250 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ નુવાકોટના અપર ત્રિશૂલી-3A પ્રોજેક્ટની સુરંગમાં પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. રસ્તો ખોલવા માટે સેના દ્વારા નિયંત્રિત બ્લાસ્ટિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અનેક અજાણ્યા મૃતદેહોની ઓળખ બાકી

પૂર બાદ મોટી સંખ્યામાં મૃતદેહો મળતાં નેપાળ સામે નવી મુશ્કેલી ઊભી થઈ છે. અનેક મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જરૂરી તપાસ અને ઓળખ સંબંધિત પ્રક્રિયા બાદ આવા મૃતદેહોના અંતિમ સંસ્કાર સામૂહિક રીતે કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ લાપતા લોકોના પરિવારજનો સતત પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં મૃતદેહોની ઓળખ કરવી બચાવ કામગીરીનો મહત્વનો ભાગ બની ગઈ છે.

9,435 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

નેપાળમાં અત્યાર સુધીમાં 9,435 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે અત્યાર સુધીમાં 394 હવાઈ ઉડાન કરવામાં આવી છે. તેમાં રવિવારની 72 ઉડાન પણ સામેલ છે.હાઇડ્રોપાવર પ્રોજેક્ટવાળા વિસ્તારોમાંથી 279 લોકોને સેનાના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. જમીન પર નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર દળના 20,618 જવાનો બચાવ કામગીરીમાં લાગેલા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ MP Flood: ચિત્રકૂટથી સતના સુધી રસ્તાઓ પર કાદવ અને પાણી, મંદાકિની નદી ખતરાના નિશાનથી ઉપર; ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ

રાહત કેન્દ્રોમાં હજારો લોકોને આશરો

પૂરથી અસરગ્રસ્ત લોકો માટે રસુવા અને નુવાકોટમાં 26 અસ્થાયી રાહત કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. રવિવારે આ કેન્દ્રોમાં 3,454 લોકોને રહેવાની જગ્યા અને રાહત સામગ્રી આપવામાં આવી હતી.પૂરમાં ઘાયલ થયેલા 267 લોકોને બહાર કાઢીને સ્થાનિક તથા કાઠમંડુની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 156 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

ભારત તરફથી સતત મદદ

ભારતે નેપાળ માટે રાહત સામગ્રીની ચોથી ખેપ મોકલી છે. ભારતીય વાયુસેનાનું C-130 વિમાન લગભગ 11 ટન સામગ્રી લઈને નેપાળ પહોંચ્યું હતું. તેમાં સુરંગ બચાવ માટેના સાધનો, ટેકનિકલ સામગ્રી અને DNA તપાસ માટે જરૂરી ઉપકરણો સામેલ છે.ભારત અત્યાર સુધીમાં નેપાળને 68.5 ટન રાહત સામગ્રી મોકલી ચૂક્યું છે. તેમાં દવાઓ, પોર્ટેબલ જનરેટર, ખાદ્ય સામગ્રી, પાણી શુદ્ધ કરવાની ગોળીઓ, ધાબળા, સ્લીપિંગ બેગ અને હાઈજીન કિટ જેવી જરૂરી વસ્તુઓ સામેલ છે.

મોબાઈલ નેટવર્ક ફરી શરૂ કરવાની કામગીરી

પૂરના કારણે નેપાળ ટેલિકોમ અને એનસેલના અનેક ટાવર પણ પ્રભાવિત થયા હતા. અત્યાર સુધીમાં નેપાળ ટેલિકોમના 106 અને એનસેલના 75 ટાવર ફરી શરૂ કરવામાં આવ્યા છે.જ્યાં મોબાઈલ નેટવર્ક હજુ ઉપલબ્ધ નથી ત્યાં બચાવ ટીમો વચ્ચે સંપર્ક જળવાઈ રહે તે માટે 20 સેટેલાઇટ ફોન પણ મોકલવામાં આવ્યા છે. હાલમાં નેપાળમાં સૌથી મોટો પડકાર 2,500થી વધુ લાપતા લોકોને શોધવાનો છે. મલબો, વધતું પાણી અને બંધ થયેલા રસ્તાઓ વચ્ચે બચાવ ટીમો સતત અનેક વિસ્તારોમાં કામગીરી કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Flood Nepal Rescue Operation Nepal Flood Update

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ