ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગણેશ ચતુર્થી પર બાપ્પાને ચઢાવો આ ફૂલ અને ભોગ, પ્રસન્ન થશે ગણપતિજી

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ગણેશ ચતુર્થી પર બાપ્પાને ચઢાવો આ ફૂલ અને ભોગ, પ્રસન્ન થશે ગણપતિજી

Last Updated: 07:43 AM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણેશ ચતુર્થીના પર્વ પર ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.ગણપતિ બાપ્પાને ફૂલ, દુર્વા અને ભોગ અર્પણ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

1/6

photoStories-logo

1. ગણેશ ચતુર્થી પર બાપ્પાને ચઢાવો આ ફૂલ અને ભોગ

ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણપતિજીની સ્થાપના કરીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને જીવનના અવરોધો દૂર થાય છે. બાપ્પાની પૂજામાં ખાસ કરીને દુર્વા અને લાલ રંગના ફૂલનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવાન ગણેશને મોદક અને લાડુ સહિત અનેક વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. લાલ જાસૂદનું ફૂલ ગણપતિજીને પ્રિય

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશને લાલ રંગના ફૂલ ખૂબ પ્રિય છે. ખાસ કરીને લાલ જાસૂદનું ફૂલ બાપ્પાને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશજીને ગુલહડનું ફૂલ ચઢાવવાથી જીવનમાં આવતી વિઘ્ન અને અડચણો દૂર થાય છે. ગણેશ ચતુર્થીની પૂજામાં તાજું અને સ્વચ્છ ફૂલ અર્પણ કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. લાલ ગુલાબ સહિત આ ફૂલ પણ ચઢાવી શકાય

જાસૂદ સિવાય ભગવાન ગણેશને લાલ ગુલાબ પણ અર્પણ કરી શકાય છે. આ ઉપરાંત ગલગોટો, ચમેલી, ચાંદની અને પારિજાતના ફૂલ પણ પૂજામાં ચઢાવવાની ધાર્મિક પરંપરા છે. ફૂલ અર્પણ કરતી વખતે મનમાં ભગવાન ગણેશનું સ્મરણ કરવું જોઈએ. માન્યતા છે કે શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલી પૂજાથી બાપ્પા પ્રસન્ન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 21 દુર્વાની ગાંઠ અર્પણ કરવી શુભ

ભગવાન ગણેશની પૂજામાં ફૂલની સાથે દુર્વાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર બાપ્પાને 21 ગાંઠ દુર્વા અર્પણ કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. દુર્વા ચઢાવતી વખતે તે તાજી અને સ્વચ્છ હોવી જોઈએ. ભક્તો ગણેશજીને દુર્વા અર્પણ કરીને તેમની કૃપા અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. બાપ્પાને મોદકનો ભોગ ધરાવો

ભગવાન ગણેશને મોદક સૌથી પ્રિય ભોગ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને મોદકનો ભોગ ધરાવવાની ખાસ પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર પૂજામાં 21 મોદકનો ભોગ ધરાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. મોદક ઉપરાંત લાડુ, ગોળ, નાળિયેર, કેળા અને અન્ય મીઠાઈનો પણ ભોગ ધરાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લાડુ પણ ગણપતિજીને ખૂબ પ્રિય

મોદકની સાથે ભગવાન ગણેશને બેસનના લાડુ, મોતીચૂરના લાડુ અને બૂંદીના લાડુ પણ પ્રિય માનવામાં આવે છે. પૂજા દરમિયાન પોતાની ક્ષમતા અનુસાર આમાંથી કોઈપણ ભોગ બાપ્પાને અર્પણ કરી શકાય છે. ભોગ ધરાવ્યા બાદ તેને પ્રસાદ તરીકે પરિવારના સભ્યોમાં વહેંચી શકાય છે. માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Ganesh Puja Ganpati Bappa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ