ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મમતા મરી પરવારી, નર્મદા કાંઠેથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, પોલીસે કાર્યવાહી શરૂ કરી
Last Updated: 05:15 PM, 30 August 2026
ADVERTISEMENT
અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નદી કિનારે માછીમારી કરી રહેલા માછીમારોની નજર બિનવારસી હાલતમાં પડેલા મૃતદેહ પર પડતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ADVERTISEMENT
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા નવજાત બાળકીના મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
ADVERTISEMENT
પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. બાળકીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું અને મૃતદેહ નદી કિનારે કોણ મૂકી ગયું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનની જેલમાં ગીર સોમનાથના કોબા ગામના માછીમારનું નિધન, મૃતકના પરિવારને મળ્યો પત્ર
ADVERTISEMENT
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
નવજાત બાળકીના મૃતદેહને બિનવારસી હાલતમાં છોડી જનાર વ્યક્તિની ઓળખ કરી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. હાલ પોલીસે આસપાસના વિસ્તારની માહિતી એકત્રિત કરી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT