ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાકિસ્તાનની જેલમાં ગીર સોમનાથના કોબા ગામના માછીમારનું નિધન, મૃતકના પરિવારને મળ્યો પત્ર
Last Updated: 04:54 PM, 30 August 2026
ADVERTISEMENT
ગીર સોમનાથ: પાકિસ્તાનની જેલમાં વધુ એક ભારતીય માછીમારના મોતના સમાચાર સામે આવતા ગીર સોમનાથ જિલ્લાના માછીમાર પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ગીર સોમનાથના કોબા ગામના માછીમાર બિજલ ભાલિયાનું પાકિસ્તાનની જેલમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ
મળતી માહિતી મુજબ, બિજલ ભાલિયા છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. તેમના પરિવારને પાકિસ્તાનની જેલમાંથી એક પત્ર મળ્યા બાદ બિજલ ભાલિયાના મોતની જાણ થઈ હતી. આ સમાચાર મળતા પરિવારજનોમાં આઘાતનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT

માછીમારી કરવા ગયા ત્યારે પાકિસ્તાની મરીને પકડી લીધા હતા
ADVERTISEMENT
પરિવારજનોના જણાવ્યા મુજબ, બિજલ ભાલિયા અને તેમના પિતા માછીમારી માટે દરિયામાં ગયા હતા ત્યારે પાકિસ્તાનની મરીન દ્વારા બંનેને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પિતા અને પુત્ર બંને પાકિસ્તાનની જેલમાં કેદ હતા. લાંબા સમયથી પરિવાર તેમના વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યો હતો.
પરિવારજનોમાં શોકનો માહોલ
ADVERTISEMENT
હવે બિજલ ભાલિયાના મોતના સમાચાર મળતા પરિવારજમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. પરિવારજનોએ સરકાર સમક્ષ બિજલ ભાલિયાનો મૃતદેહ વહેલી તકે ભારત અને તેમના વતન લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ પણ વાંચોઃ મોરવા હડફમાં ઘરની છત પર દીપડો આવી બેસતા ફફડા, અંધારું થતાં જંગલ તરફ ચાલ્યો ગયો
ADVERTISEMENT
મૃતદેહને પરત લાવવા માટે સરકાર ઝડપી કાર્યવાહી કરે તેવી પરિવારજનોની માંગ
માછીમારોની સરહદ નજીકની માછીમારી દરમિયાન પાકિસ્તાન દ્વારા પકડાઈ જવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. આવી સ્થિતિમાં બિજલ ભાલિયાના મૃતદેહને પરત લાવવા માટે સરકાર ઝડપથી કાર્યવાહી કરે તેવી પરિવારજનો અને ગ્રામજનો આશા રાખી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT