ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નીમ કરોલી બાબાની અલૌકિક ગાથા: શા માટે કરોડો ભક્તો તેમને માને છે હનુમાનજીનો દિવ્ય અવતાર?

photo-story

4 ફોટો ગેલેરી

ધર્મ / નીમ કરોલી બાબાની અલૌકિક ગાથા: શા માટે કરોડો ભક્તો તેમને માને છે હનુમાનજીનો દિવ્ય અવતાર?

Last Updated: 05:12 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નીમ કરોલી બાબા તેમના નિઃસ્વાર્થ સેવાભાવ અને અનન્ય રામ-હનુમાન ભક્તિના કારણે ભક્તો દ્વારા હનુમાનજીનો સાક્ષાત અવતાર માનવામાં આવે છે. ઉત્તરાખંડનું કેંચી ધામ આજે પણ દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થા, શાંતિ અને ભક્તિનું મોટું સંગમસ્થાન બની રહ્યું છે.

1/4

photoStories-logo

1. નીમ કરોલી બાબાની અલૌકિક ગાથા: શા માટે કરોડો ભક્તો તેમને માને છે હનુમાનજીનો દિવ્ય અવતાર?

ઉત્તરાખંડના નૈનીતાલ નજીક આવેલા પ્રસિદ્ધ કેંચી ધામના સંત નીમ કરોલી બાબા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં અગાધ આસ્થાનું કેન્દ્ર છે. તેમના કરોડો ભક્તો તેમને માત્ર એક સંત કે સાધુ નહીં, પરંતુ સાક્ષાત સંકટમોચન હનુમાનજીનો અંશ અને અવતાર માને છે. ઉત્તર પ્રદેશના એક નાના ગામમાંથી નીકળીને વિશ્વવિખ્યાત થયેલા બાબામાં એવી કઈ અલૌકિક આધ્યાત્મિક શક્તિ હતી, જે ભક્તોને બજરંગબલીની યાદ અપાવતી હતી?

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. હનુમાન ભક્તિમાં લીન જીવન અને સેવાભાવ

નીમ કરોલી બાબાનું સમગ્ર જીવન શ્રી રામ નામ અને હનુમાનજીની ભક્તિ માટે સમર્પિત હતું. તેઓ લોકોને આડંબર અને બહારી દેખાવાથી દૂર રહીને ઈશ્વરનું સ્મરણ કરવા અને જરૂરિયાતમંદોની સેવા કરવાની પ્રેરણા આપતા હતા. હનુમાનજી જેમ ભગવાન રામ પ્રત્યે સમર્પણ, સેવા અને વિનમ્રતાના પ્રતીક છે, તેવી જ રીતે ભક્તોને બાબાની સાધના અને વ્યક્તિત્વમાં બજરંગબલીના ગુણોની સ્પષ્ટ ઝલક દેખાતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. અવતાર માનવા પાછળની લોકમાન્યતા

બાબા પોતે ક્યારેય પોતાને ભગવાન તરીકે સ્થાપિત નહોતા કરતા, પરંતુ હંમેશા લોકોને હનુમાનજીની ભક્તિ અને રામ નામ તરફ વાળતા હતા. તેમના જીવન સાથે જોડાયેલા અનેક કથાનકો અને ભક્તોના વ્યક્તિગત અનુભવો દર્શાવે છે કે તેમના પર હનુમાનજીની વિશેષ કૃપાદ્રષ્ટિ હતી. સમય જતાં આ આસ્થા વધુ દ્રઢ બની અને ભક્તો તેમને બજરંગબલીનો દિવ્ય અંશ માનવા લાગ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કેંચી ધામ: વૈશ્વિક શ્રદ્ધાનું પ્રતીક

નૈનીતાલમાં આવેલું કેંચી ધામ આજે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે શાંતિ અને આધ્યાત્મિકતાનું ધામ બન્યું છે. હોલીવુડના કલાકારોથી લઈને વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ પણ બાબાના દર્શને આવી ચૂક્યા છે. આજે પણ બાબાના દેહત્યાગના દાયકાઓ પછી પણ કેંચી ધામ ખાતે ભક્તો હનુમાનજીની પૂજા અને રામ નામના જાપ સાથે બાબાની દિવ્ય ઊર્જાનો અનુભવ કરવા પહોંચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

KainchiDham LordHanuman NeemKaroliBaba
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ