ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / બુધના ગોચરથી બનશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, શ્રાદ્ધ પક્ષમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / બુધના ગોચરથી બનશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, શ્રાદ્ધ પક્ષમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય

Last Updated: 06:58 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

26 સપ્ટેમ્બર 2026થી પિતૃ પક્ષની શરૂઆત સાથે બુધ-શુક્રના લક્ષ્મી-નારાયણ રાજયોગથી અમુક રાશિ માટે આર્થિક સમૃદ્ધિ અને સારા દિવસો શરૂ થશે. જેમાં ચાર રાશિઓને ધનલાભ, કરિયરમાં વિકાસ અને ભાગ્યનો સાથ મળવાની મજબૂત સંભાવના છે.

1/7

photoStories-logo

1. લક્ષ્મી-નારાયણ રાજયોગ

26 સપ્ટેમ્બર 2026નો દિવસ અત્યંત મહત્વનો અને દુર્લભ સંયોગ લઈને આવી રહ્યો છે. આ જ દિવસથી પિતૃ પક્ષની પવિત્ર શરૂઆત થશે. તે જ સમયે બુદ્ધિ, વ્યાપાર અને વાણીના કારક ગ્રહ બુધ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં પહેલેથી જ ધન-વૈભવના સ્વામી શુક્ર વિરાજમાન છે. એટલે 26 સપ્ટેમ્બરે બુધના આગમન સાથે શુક્ર અને બુધની યુતિથી ‘લક્ષ્મી-નારાયણ રાજયોગ’નું અત્યંત શુભ નિર્માણ થશે. ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે આ દિવસથી સારોસમય શરૂ થવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મિથુન

બુધ તમારી રાશિના સ્વામી છે અને આ ગોચર તમારા પાંચમા ભાવમાં થશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને મોટી સફળતા મળી શકે છે. અચાનક ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે. શેરબજાર, રિસર્ચ કે મીડિયા સાથે જોડાયેલા લોકોને અપેક્ષા કરતાં વધુ નફો મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. તુલા

બુધનું ગોચર તમારી જ રાશિમાં થઈ રહ્યો છે જ્યાં શુક્ર પહેલેથી હાજર છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને આકર્ષણ વધશે. વ્યાપારમાં નવા અવસર મળશે અને અટકેલી ડીલ્સ પૂરી થઈ શકે છે. વાણીના પ્રભાવથી બગડતા કામો સુધરવા લાગશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મકર

તમારા દશમાં ભાવમાં લક્ષ્મી-નારાયણ યોગનું નિર્માણ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકો માટેસમય સારો છે. વ્યાપારમાં વિસ્તરણની યોજનાઓ સફળ થશે અને પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલો કોઈ જૂનો વિવાદ પણ ઉકેલાઈ શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કુંભ

તમારા નવમા ભાવમાં બુધનું આગમન થઈ રહ્યું છે. પિતૃ પક્ષના પહેલા દિવસથી જ ભાગ્યનો પૂરો સાથ મળવા લાગશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. લાંબા સમયથી અટકેલા સરકારી કે કાનૂની મામલા ઉકેલાશે. વિદેશ યાત્રા કે દૂરની મુસાફરીથી ભારે આર્થિક લાભ શક્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આ બાબતોનું ધ્યાન રાખો

બુધ ગ્રહની શુભતા વધારવા અને પિતૃ શાંતિ માટે આ દિવસથી નિયમિત રીતે ગાયને લીલું ઘાસ કે પાલક ખવડાવો. બુધ બુદ્ધિ અને વાણીનો કારક છે તેથી આ સમયે કોઈનું હૃદય દુઃખાવશો નહીં અને સાત્વિક દિનચર્યા અપનાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Venus Mercury Lakshmi Narayana Rajyoga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ