ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવતર પહેલ, સમાજના ઝઘડાઓ ડામવા 'સમાધાન પંચ'ની કરી રચના
Last Updated: 09:50 PM, 18 September 2026
ADVERTISEMENT
સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. સુરત શહેરમાં પાટીદાર સમાજે સંયુક્ત રીતે સમાધાન પંચની રચના કરી છે. કોર્ટમાં જતા પહેલા આ સમાધાન પંચમાં ઝઘડાના સમાધાનનો પ્રયાસ કરાશે.
ADVERTISEMENT
પાટીદાર સમાજમાં છુટાછેડા અને પ્રોપર્ટીના ઝઘડા કોર્ટ પહોંચે તે પહેલા અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. સમાધાન પંચમાં અરજી આવ્યા બાદ બંને પક્ષોને બેસાડીને સમાધાનનો માર્ગ કઢાશે. સમાધાન પંચમાં 11 સભ્યોની હાય પાવર કમિટીની રચના કરવામાં આવશે.
સમાધાન પંચના પ્રમુખ તરીકે સમાજના આગેવાન જગદીશ ખુંટની નિમણૂક કરવામાં આવી છે. પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેઠા અને મથુર સમાણીના અભિગમના પગલે સમાધાન પંચની રચના કરવામાં આવી છે. પાટીદારમાં છૂટાછેડા અને મિલ્કતના વધતા ઝઘડાને લઈ સમાધાન પંચની રચના અનિવાર્ય બની હતી.
ADVERTISEMENT
અસંખ્ય પરિવાર કોર્ટ કેસમાં પાયમાલ થાય છે. સમય અને નાણાં બચાવવા માટે પાટીદાર સમાજ દ્વારા સમાધાન પંચની રચના કરવામાં આવી છે. સુરતમાં વસતા લાખો પાટીદાર પરિવારોમાં બદલાતી જીવનશૈલીના કારણે વધી રહેલા છૂટાછેડાના કેસો અને કરોડો રૂપિયાના વેપાર-ધંધા વચ્ચે ભાઈઓ વચ્ચે સર્જાતા મિલકતના વિવાદોને કોર્ટના પગથિયાં ચડતાં અટકાવવા માટે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પહેલ કરવામાં આવી છે. પંચમાં અરજી આવ્યા બાદ બંને પક્ષોને બેસાડીને સમાધાનનો માર્ગ કાઢવામાં આવશે.

ADVERTISEMENT
નોધનીય છે કે, સુરતના વિવિધ વિસ્તારોમાં 15 લાખ કરતા વધુ પાટીદારો વસી રહ્યા છે. સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી પાટીદારો સુરતમાં વસ્યા છે. અને સુરતને કર્મભૂમિ બનાવી લીધી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો