ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:10 PM, 18 September 2026
ADVERTISEMENT
રાધા અષ્ટમી 2026 નિમિત્તે આપણે જાણીએ કે રાધારાણીનો પ્રેમ માત્ર શ્રીકૃષ્ણ સુધી જ મર્યાદિત નહોતો. બ્રજના પશુ-પક્ષીઓ પ્રત્યે પણ તેમનો અપાર સ્નેહ હતો. ધાર્મિક ગ્રંથોમાં વર્ણવ્યા મુજબ તેમના પાસે ઘણા પ્રિય પાલતુ પ્રાણીઓ હતા. જેમને તેઓ પરિવારના સભ્યોની જેમ પ્રેમ કરતા હતા.
ADVERTISEMENT
આ વર્ષે રાધા અષ્ટમી 19 સપ્ટેમ્બર 2026ના શનિવારે ઊજવાશે. ગૌડીય વૈષ્ણવ ગ્રંથો, નારદ પંચરાત્ર અને પદ્મ પુરાણ જેવા ધર્મગ્રંથોમાં શ્રીજીના આ પ્રિય પ્રાણીઓનું વર્ણન મળે છે.
જેમાં રાધારાણીની પ્રિય ગાયોમાં બહુલા, સુનદા અને યમુના મુખ્ય હતી. આ સુરભિ ગાયો તેમને ખૂબ પ્રિય હતી. તેમનું એક ગોળમટોળ વાછરડું તુંગી પણ તેમને અત્યંત આવડતું હતું.
ADVERTISEMENT
તેમના બીજા પાલતુ પ્રાણીઓમાં કક્ખતી નામનું વાંદરું, રંગિણી નામની હરણી અને માધુરી નામની હાથીણી હતી. પક્ષીઓમાં શુભા અને સૂક્ષ્મધી નામના પોપટ હતા, જે ચુટકુલા અને અવાજોની નકલ કરવામાં માહિર હતા. તેમની પાલતુ ચકોરીનું નામ ચારુચંદ્રિકા હતું અને હંસનું નામ તુંડીકેરી હતું. જેને રાધાકુંડમાં તરવું ખૂબ ગમતું હતું.
ADVERTISEMENT
આમ, ગાયો સિવાય પણ વાંદરા, હરણી, પોપટ , હંસ અને હાથીણી જેવા અનેક પ્રાણીઓ સાથે રાધારાણીનો અનોખો સ્નેહ સંબંધ હતો. આ પ્રાણીઓ તેમના દિવ્ય જીવનનો અભિન્ન ભાગ હતા.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો