ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોળીનું મોત, બીજો આરોપી મોનિંદર સિંહ પંઢેરી અત્યારે ક્યાં છે?
Last Updated: 05:43 PM, 18 September 2026
ADVERTISEMENT
Nithari Kand: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીની હરિદ્વારમાં કથિત આત્મહત્યા બાદ મોનિંદર સિંહ પંઢેર ફરી ચર્ચામાં આવ્યો છે. 2023માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ પંઢેર ચંદીગઢ ગયો હતો. સુપ્રીમ કોર્ટે પણ જુલાઈ 2025માં તેની રાહત જાળવી રાખી હતી. જેલમાંથી છૂટ્યા પછી પંઢેર હવે ક્યાં છે તે જાણો.
ADVERTISEMENT
નોઈડામાં બહુચર્ચિત નિઠારી કેસની ચર્ચા ફરી એકવાર તેજ બની છે. હરિદ્વારમાં સુરેન્દ્ર કોલીની કથિત આત્મહત્યાના સમાચાર બાદ હવે મોનિંદર સિંહ પંઢેર વિશે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. નિઠારી કેસનો બીજો મુખ્ય આરોપી હવે ક્યાં છે અને તે કેવી રીતે જીવી રહ્યો છે?
17 વર્ષ જેલમાં રહ્યા બાદ પંઢેર 2023માં મુક્ત થયો હતો
ADVERTISEMENT
મોનિંદરસિંહ પંઢેર નિઠારીમાં તે ઘરના માલિક હતા જ્યાં સુરેન્દ્ર કોલી ઘરેલુ નોકર તરીકે કામ કરતો હતા. ડિસેમ્બર 2006 માં ઘરની પાછળના નાળા પાસે બાળકોના અવશેષો મળી આવ્યા બાદ આ કેસમાં સમગ્ર દેશ હચમચાવી જાય છે. તપાસ દરમિયાન પંઢેર અને કોલી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
નિઠારી હત્યાકાંડ સંબંધિત કેસોમાં પંઢેરને દોષિત ઠેરવવામાં આવ્યો, અને આમાંથી એક કેસમાં તેને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી હતી.
ADVERTISEMENT
જોકે બાદમાં ઉચ્ચ અદાલતોમા આ કેસને લઇ અલગ બદલાવ આવ્યો. 20 ઓક્ટોબર 2023 ના અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ પંઢેરને નોઈડા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેઓ લગભગ 17 વર્ષથી જેલમાં હતો. હાઈકોર્ટે તેની સામેના બે પેન્ડિંગ કેસોમાં તેને નિર્દોષ જાહેર કર્યો હતો, તેની સજા રદ કરી હતી. આ જ નિર્ણયમાં સુરેન્દ્ર કોલીને પણ 12 કેસોમાં રાહત આપવામાં આવી હતી.
મોનિન્દર સિંહ પંઢેર હવે ક્યાં રહે છે?
ADVERTISEMENT
જેલમાંથી મુક્ત થયા પછી પંઢેર ચંદીગઢ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી, તેમની જાહેર પ્રવૃત્તિઓ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. જોકે નવેમ્બર 2025 માં સુરેન્દ્ર કોલીને સુપ્રીમ કોર્ટ તરફથી અંતિમ કેસમાં રાહત મળ્યા પછી પંઢેર મીડિયા સાથે વાત કરી. એક ન્યૂઝ અહેવાલ મુજબ તેણે નિઠારી કેસમાં પોતાને પીડિત તરીકે પણ ગણાવ્યા. પંઢેરે કહ્યું, "હું પણ પીડિત છું. મને પણ ન્યાય જોઈએ છે."
નિઠારી કેસમાં પંઢેર સામે શું આરોપ હતા?
ADVERTISEMENT
નિઠારી કેસની તપાસ 2005 અને 2006 દરમિયાન મહિલાઓ અને બાળકોના ગુમ થવાના કેસની આસપાસ ફરતી હતી. પંઢેરના ઘર, ડી-5, નિઠારીને જોડતા કેસમાં સંકેતો બહાર આવ્યા. પંઢેર અને કોલી બંને પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે પાછળથી ફરિયાદ પક્ષની તપાસ અને પુરાવા અંગે કોર્ટમાં ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. ઓક્ટોબર 2023 માં અલ્હાબાદ હાઇકોર્ટે પંઢેરને તેની સામેના બાકીના બે કેસોમાં નિર્દોષ જાહેર કર્યો.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો
ADVERTISEMENT
જુલાઈ 2025માં સુપ્રીમ કોર્ટે 12 નિઠારી મામલામાં પંઢેર અને કોલીને નિર્દોષ જાહેર કર્યા. સીબીઆઈ, ઉત્તર પ્રદેશ સરકાર અને પીડિત પરિવારો દ્વારા દાખલ કરાયેલી અપીલો ફગાવી દેવામાં આવી. આ નિર્ણયથી નિઠારી કેસ સંબંધિત પંઢેરની લાંબી કાનૂની લડાઈનો અસરકારક રીતે અંત આવ્યો. તે પહેલાથી જ જેલમાંથી મુક્ત થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ નેશનલ / ગેંગરેપ કેસમાં નામ આવતાં જ ભાજપના પૂર્વ ધારાસભ્યનું રાજીનામું, કહ્યું- 'મારી વિરુદ્ધ ષડ્યંત્ર'
કેસ કેમ ચર્ચામાં આવ્યો?
નિઠારી હત્યાકેસમાં સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કરેલા સુરેન્દ્ર કોલીનો મૃતદેહ હરિદ્વારમાં તેની ચાની દુકાનમાંથી મળી આવ્યો હતો. તેના ગળામાં ફંદો પડેલ હતો. આ ઘટના ભૂપતવાલા વિસ્તારમાં સપ્ત સરોવર રોડ પર સ્થિત લાલમાતા મંદિરની સામે બની હોવાનું કહેવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ