ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતના આ 5 બેટ્સમેન છે સુપર હીટ, કોહલી નંબર 1 પર અને હીટમેનનું બેટ પણ ધનાધન ચાલે
Last Updated: 05:13 PM, 17 September 2026
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 3 મેચોની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે. શુભમન ગિલના નેતૃત્વમાં જાહેર કરાયેલી આ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 50 ઓવરના ફોર્મેટમાં ભારતીય બેટ્સમેનોના આંકડા અત્યંત પ્રભાવશાળી રહ્યા છે, જેમાં રોહિત અને વિરાટની જોડી મોખરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિન્ડિઝ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો શ્રેષ્ઠ રેકોર્ડ કિંગ વિરાટ કોહલીના નામે છે. તેમણે 41 ઇનિંગ્સમાં 2261 રન ફટકાર્યા છે. આ યાદીમાં 1613 રન સાથે રોહિત શર્મા બીજા સ્થાને છે. આ શ્રેણીમાં બંને દિગ્ગજો પાસે પોતાના રેકોર્ડને વધુ મજબૂત બનાવવાની સોનેરી તક રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વનડે શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડની વાપસી થઈ છે, જ્યારે આકિબ નબી અને નમન ધીર જેવા યુવા ખેલાડીઓને પ્રથમ વખત વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. કે.એલ. રાહુલને ઉપ-કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. પેસ એટેકની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગ યુનિટનું નેતૃત્વ કરશે, જેમાં તેમને પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર અને આકિબ નબીનો સાથ મળશે. નોંધનીય છે કે અર્શદીપ સિંહને માત્ર T20I ટીમમાં રાખવામાં આવ્યા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરે, બીજી મેચ 30 સપ્ટેમ્બરે અને ત્રીજી તથા અંતિમ મેચ 3 ઓક્ટોબરે રમાશે.
ADVERTISEMENT
શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ (ઉપ-કપ્તાન), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જેસવાલ અને નમન ધીર.
સંકળાયેલા મુદ્દાઓ