ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદીના 76મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામમાં ભવ્ય મહાઆરતી, CM ભૂપેન્દ્ર પટેલે માં ઉમિયાને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી

ગુજરાત / PM મોદીના 76મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામમાં ભવ્ય મહાઆરતી, CM ભૂપેન્દ્ર પટેલે માં ઉમિયાને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી

Published By: Nidhi Panchal

Last Updated: 08:19 AM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદનું વિશ્વ ઉમિયાધામ ભવ્ય રીતે ઝગમગી ઉઠ્યું હતું. મંદિર પરિસરમાં હજારો દીવડાઓ પ્રગટાવી મા ઉમિયાની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પીએમ મોદીના સારા સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ માટે મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

ADVERTISEMENT

PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ગુજરાતમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે વિશ્વ ઉમિયાધામ મંદિર પરિસરમાં 7 હજાર 600 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એકસાથે હજારો દીવડાઓ ઝગમગી ઉઠતાં સમગ્ર મંદિર પરિસર દિવ્ય અને ભવ્ય નજારો બની ગયું હતું.

Pm-2

આ ખાસ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ ઉમિયાધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મધરાતે 12 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા ઉમિયાની મહાઆરતી ઉતારી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મહાઆરતી બાદ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય, નિરોગી જીવન અને દીર્ઘાયુ માટે મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

Pm-modi-birthday

PM મોદીના 76મા જન્મદિવસને ધ્યાનમાં રાખીને 7,600 દીવડાઓ પ્રગટાવવાનો કાર્યક્રમ ખાસ રીતે કરવામાં આવ્યો હતો. દીવડાઓની રોશનીથી વિશ્વ ઉમિયાધામનો સમગ્ર વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો. રાત્રિના સમયે મંદિર પરિસરનો આ નજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને ભક્તો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો

મહાઆરતી સાથે આ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ એકસાથે ‘વંદે માતરમ્’નું ગાન કર્યું હતું. મળતી માહિતી મુજબ, 150 જેટલા Gen Z યુવાનોની આગેવાનીમાં 5 હજારથી વધુ લોકોએ ‘વંદે માતરમ્’ ગાયું હતું. આ દરમિયાન વિશ્વ ઉમિયાધામ પરિસર દેશભક્તિના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

હજારો લોકો આ કાર્યક્રમમાં પહોંચ્યા હોવાથી ભક્તોની અવરજવર સરળ રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દર્શનાર્થીઓને ઘરે પરત ફરવામાં મુશ્કેલી ન પડે તે માટે AMTS દ્વારા 100 વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસો દ્વારા ભક્તોને સરળતાથી પોતાના સ્થળે પહોંચવાની સુવિધા મળી હતી.

આ પણ વાંચો : PM મોદીના જન્મદિવસે વડનગરના બાળપણના મિત્રનો ભાવુક પત્ર, ‘તમે શ્રીકૃષ્ણ, હું તમારો સુદામા...’

આ રીતે પીએમ મોદીના 76મા જન્મદિવસે અમદાવાદનું વિશ્વ ઉમિયાધામ ભક્તિ, દીપોત્સવ અને દેશભક્તિના અનોખા સંગમનું સાક્ષી બન્યું હતું. 7,600 દીવડાઓની રોશની વચ્ચે મા ઉમિયાની મહાઆરતી અને પીએમ મોદીના દીર્ઘાયુ માટે કરવામાં આવેલી પ્રાર્થનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Birthday Vishwa Umiyadham Narendra Modi

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ