ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / પેટ્રોલ-ડીઝલ ચોરીનું મોટું કૌભાંડ પકડાયું, આ રાજ્યમાં 805માંથી 768 પેટ્રોલ પંપ થયા ફેલ

photo-story

8 ફોટો ગેલેરી

બિઝનેસ / પેટ્રોલ-ડીઝલ ચોરીનું મોટું કૌભાંડ પકડાયું, આ રાજ્યમાં 805માંથી 768 પેટ્રોલ પંપ થયા ફેલ

Last Updated: 04:49 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કર્ણાટકમાં 'મિશન નિખરા' હેઠળ પેટ્રોલ પંપો પર ચાલતી ઘટતૌલી અને ઈંધણ ચોરી સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. તપાસ કરાયેલા 805 પેટ્રોલ પંપોમાંથી 768 પંપોમાં માપન સ્કેલમાં ગંભીર ગડબડ મળી આવી છે.

1/8

photoStories-logo

1. પેટ્રોલ-ડીઝલ ચોરીનું મોટું કૌભાંડ પકડાયું, આ રાજ્યમાં 805માંથી 768 પેટ્રોલ પંપ થયા ફેલ

કર્ણાટક રાજ્યમાં પેટ્રોલ પંપો પર ઓછું પેટ્રોલ-ડીઝલ આપીને ગ્રાહકોના ખિસ્સા પર ડાકો મારવાના ખેલ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રિઝવાન અરશદે 'મિશન નિખરા' હેઠળ હાથ ધરાયેલા ખાસ તપાસ અભિયાનના ચોંકાવનારા આંકડા જાહેર કરતાં ઓઇલ કંપનીઓ અને પેટ્રોલ પંપ માલિકો સામે આકરા પગલાં લેવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 805 પંપોની આકસ્મિક તપાસ: ગંભીર ક્ષતિઓ સામે આવી

લીગલ મેટ્રોલોજી વિભાગની ટીમોએ રાજ્યભરના 5946 પેટ્રોલ પંપોમાંથી 805 પંપો પર અચાનક દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. આ તપાસના પરિણામોએ તંત્રને પણ ચોંકાવી દીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. 768 પંપોમાં ગડબડ

તપાસ કરાયેલા 805 પંપોમાંથી 768 પંપોમાં કેલિબ્રેશન (માપન સંતુલન) ની મોટી ખામીઓ મળી આવી હતી, જેને તાત્કાલિક સુધારવાના આદેશ અપાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. 101 કેસ નોંધાયા

ગંભીર ધાંધલ-ધમાલ આચરનારા 101 પેટ્રોલ પંપો સામે ગુનો દાખલ કરીને સ્થળ પર જ ₹6.66 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. માપનમાં મોટી ગડબડી

રિપોર્ટ અનુસાર, તપાસ કરાયેલા દર 10 નોઝલમાંથી સરેરાશ 8.5 ફ્યુઅલ નોઝલમાં ઓછું ઈંધણ અપાતું હોવાનું નોંધાયું હતું. દર 7 કેસમાં ઓછું ઈંધણ મળતું હતું, જ્યારે માત્ર 1 કેસમાં વધુ ઈંધણ જતું હોવાનું સામે આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. નિયમ ભંગ કરનારા પંપો થશે કાયમ માટે સીલ

મંત્રી રિઝવાન અરશદે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું કે જનતાના નાણાં સાથે ચેડાં સહન કરવામાં આવશે નહીં. જો કોઈ પેટ્રોલ પંપ વારંવાર તપાસમાં ફેલ થશે અથવા નિયમોનો ભંગ કરશે, તો રાજ્ય સરકાર તે પેટ્રોલ પંપને કાયમ માટે બંધ (સીલ) કરવાનો આદેશ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. કેન્દ્ર સરકારના નિયમ સામે વિરોધ

કર્ણાટક સરકારે કેન્દ્ર સરકારના 18 ડિસેમ્બર 2025ના એ આદેશ (G.S.R. 905(E)) સામે પણ સવાલો ઉઠાવ્યા છે, જેમાં પેટ્રોલ પંપોના કેલિબ્રેશન ચકાસણીનો સમયગાળો 12 મહિનાથી વધારીને 24 મહિના કરવામાં આવ્યો હતો. મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રને પત્ર લખીને આ નિયમની સમીક્ષા કરવા અને દર વર્ષે (વાર્ષિક) તપાસ ફરજિયાત કરવાની માંગ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ગ્રાહકો માટે હેલ્પલાઈન અને ડિસ્પ્લે બોર્ડ ફરજિયાત

રાજ્ય સરકાર ટૂંક સમયમાં બાકી રહેલા 2100 પેટ્રોલ પંપોનું વેરિફિકેશન પૂર્ણ કરશે. આ ઉપરાંત, દરેક પેટ્રોલ પંપ પર એક ડિસ્પ્લે બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે, જેના પર તેની છેલ્લી તપાસની તારીખ અને વિગતો લખેલી હશે. જો કોઈ ગ્રાહકને ઓછું ઈંધણ મળવાની શંકા હોય, તો તેઓ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1800 599 1100 પર સીધી રજૂઆત કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MissionNikhara KarnatakaNews PetrolPumpScam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ