ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ફિલ્મ 'રામાયણ'ના ગીત 'જય જય રામ'માં ભરતની ઝલક જોવા મળી, રામ જેવડો જ હતો ભરતનો ત્યાગ, વાંચો રસપ્રદ કહાણી

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ફિલ્મ 'રામાયણ'ના ગીત 'જય જય રામ'માં ભરતની ઝલક જોવા મળી, રામ જેવડો જ હતો ભરતનો ત્યાગ, વાંચો રસપ્રદ કહાણી

Last Updated: 02:42 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફિલ્મ ‘રામાયણ’ના પહેલા ગીત ‘જય જય રામ’માં શ્રીરામ અને ભરતના ભાવુક મિલનની ઝલક જોવા મળી છે. ભરતનું પાત્ર માત્ર શ્રીરામના નાના ભાઈ તરીકે જ નહીં પરંતુ ત્યાગ, ધર્મ અને ભાઈપ્રેમના પ્રતિક તરીકે પણ ઓળખાય છે.

1/7

photoStories-logo

1. રામાયણમાં ભરતની ઝલક

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’નું પહેલું ગીત ‘જય જય રામ’ તાજેતરમાં રિલીઝ થયું છે. એ. આર. રહેમાનના સંગીત, ડૉ. કુમાર વિશ્વાસના શબ્દો અને અરિજીત સિંહ તથા શ્રેયા ઘોષાલના અવાજથી સજેલું આ ગીત દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ગીતમાં શ્રીરામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂર અને માતા સીતાની ભૂમિકા ભજવી રહેલી સાઈ પલ્લવીના ભવ્ય લગ્ન, અયોધ્યામાં નગરજનો દ્વારા ફૂલ વરસાવીને કરવામાં આવેલું સ્વાગત અને રાજા દશરથ સાથેના ભાવુક દૃશ્યો જોવા મળે છે. જોકે ગીતનું સૌથી ભાવુક દૃશ્ય શ્રીરામ અને તેમના નાના ભાઈ ભરતનું એકબીજાને ગળે મળવાનું છે.આ ગીત દ્વારા ફિલ્મ મેકર્સે ભરતના પાત્રમાં જોવા મળનારા અભિનેતા આદિનાથ કોઠારેની પણ પહેલી ઝલક બતાવી છે. આદિનાથ ફિલ્મમાં ભરતની ભૂમિકા ભજવશે. ત્યારે જાણીએ કે રામાયણમાં ભરતનું પાત્ર શા માટે આટલું મહત્વનું છે અને ભરતનો ત્યાગ આજે પણ કેમ યાદ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કોણ હતા ભરત?

રામાયણ અને રામચરિતમાનસ અનુસાર ભરત માત્ર શ્રીરામના નાના ભાઈ નહોતા. તેઓ નિઃસ્વાર્થ પ્રેમ, ધર્મ અને ત્યાગના પ્રતિક માનવામાં આવે છે. ભરત સૂર્યવંશી રાજા દશરથ અને તેમની પ્રિય રાણી કૈકેયીના પુત્ર હતા. બાળપણથી જ ભરતને તેમના મોટા ભાઈ શ્રીરામ પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર હતો.ભરતના લગ્ન રાજા જનકના ભાઈ કુશધ્વજની પુત્રી માંડવી સાથે થયા હતા. રાજપરિવારમાં જન્મેલા હોવા છતાં ભરત માટે ભાઈ પ્રત્યેનો પ્રેમ અને ધર્મ રાજપાટ તથા સુખ-સુવિધા કરતાં હંમેશા ઉપર રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. માતાના મોહ કરતાં ધર્મને આપ્યું મહત્વ

ભરત જ્યારે પોતાના મામાના ઘરે એટલે કે કૈકેય દેશમાં હતા ત્યારે અયોધ્યામાં મોટો ફેરફાર થઈ ગયો હતો. તેમની માતા કૈકેયીએ રાજા દશરથ પાસેથી પોતાના બે વરદાન માગ્યા હતા. આ વરદાનના કારણે શ્રીરામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને ભરત માટે અયોધ્યાનું રાજસિંહાસન માંગવામાં આવ્યું.ભરત જ્યારે અયોધ્યા પરત ફર્યા અને તેમને આ સમગ્ર વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા હતા. માતા કૈકેયીના નિર્ણયથી તેમને શરમ પણ આવી હતી. તેમણે પોતાની માતાના આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.ભરતે સ્પષ્ટ કરી દીધું હતું કે અયોધ્યાના સિંહાસન પર તેમના મોટા ભાઈ શ્રીરામનો જ અધિકાર છે. તેઓ અન્યાયથી મળેલા રાજપદ કે કોઈપણ અનૈતિક સુખને સ્વીકારવા તૈયાર નહોતા. ભરતે કૈકેયીના આ કાર્યની કડક શબ્દોમાં નિંદા પણ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ચિત્રકૂટમાં થયો રામ-ભરત મિલાપ

માત્ર દુઃખ વ્યક્ત કરીને ભરત અટક્યા નહોતા. તેઓ અયોધ્યાની પ્રજા, પોતાની માતાઓ અને ગુરુ વશિષ્ઠ સાથે શ્રીરામને પાછા અયોધ્યા લાવવા માટે ચિત્રકૂટ તરફ નીકળી પડ્યા હતા.ચિત્રકૂટમાં જ્યારે શ્રીરામ અને ભરતનું મિલન થયું ત્યારે આ પ્રસંગ ખૂબ જ ભાવુક બની ગયો હતો. બંને ભાઈઓ એકબીજાને મળ્યા ત્યારે ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ભરતે શ્રીરામના ચરણોમાં પડીને તેમને અયોધ્યા પરત ફરવાની વિનંતી કરી હતી.પરંતુ શ્રીરામે પોતાના પિતા રાજા દશરથના વચનને સૌથી ઉપર રાખ્યું હતું. તેમણે ભરત સાથે અયોધ્યા પરત જવાનો ઇનકાર કર્યો હતો. શ્રીરામ માટે પિતાનું વચન પાળવું જ ધર્મ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. શ્રીરામની પાદુકાને બનાવી સિંહાસનની માલિક

શ્રીરામ અયોધ્યા પરત આવવા તૈયાર ન થયા ત્યારે ભરતે તેમની પાસે ચરણ પાદુકા એટલે કે ખડાઉ માગી હતી. ભરતે સંકલ્પ લીધો હતો કે તેઓ પોતે ક્યારેય અયોધ્યાના રાજસિંહાસન પર બેસશે નહીં.ભરત શ્રીરામની પાદુકા અયોધ્યા લઈ આવ્યા હતા અને તેમને રાજસિંહાસન પર સ્થાપિત કરી હતી. ત્યારબાદ તેમણે પોતાને રાજા નહીં પરંતુ શ્રીરામના પ્રતિનિધિ અને સેવક માન્યા હતા. તેઓ શ્રીરામની ગેરહાજરીમાં તેમના નામે રાજ્યનું સંચાલન કરતા રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નંદીગ્રામમાં 14 વર્ષ સુધી તપસ્વી જીવન

ભરતનો ત્યાગ માત્ર શબ્દો પૂરતો નહોતો. તેમણે પોતાના જીવનમાં પણ તેને સાબિત કર્યો હતો. શ્રીરામ વનમાં રહેતા હતા ત્યારે ભરતે અયોધ્યાના રાજમહેલના તમામ સુખ અને વૈભવનો ત્યાગ કરી દીધો હતો.તેમણે અયોધ્યાની બહાર નંદીગ્રામમાં એક સાદી કૂટિયા બનાવી હતી. ત્યાં તેમણે 14 વર્ષ સુધી તપસ્વી જેવું જીવન જીવ્યું હતું. આ સમય દરમિયાન તેમણે માથા પર જટા રાખી, વલ્કલ વસ્ત્રો પહેર્યા, કંદ-મૂળ ખાધાં અને જમીન પર સૂતા હતા.ભરતનું માનવું હતું કે જ્યારે તેમના મોટા ભાઈ શ્રીરામ વનમાં કષ્ટ સહન કરી રહ્યા છે ત્યારે તેઓ પોતે રાજમહેલની સુખ-સુવિધાઓનો આનંદ કેવી રીતે લઈ શકે? તેથી તેમણે પણ શ્રીરામની જેમ સાદું અને સંયમિત જીવન પસંદ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. આજના સમાજ માટે ભરત પાસેથી શું શીખવા મળે?

ભરતનું પાત્ર આપણને શીખવે છે કે સંબંધો, મૂલ્યો અને ભાઈપ્રેમ કોઈપણ સંપત્તિ કે પદ કરતાં મોટા હોય છે. તેમની સામે રાજસિંહાસન હતું છતાં તેમણે તેને પોતાના અધિકાર તરીકે સ્વીકાર્યું નહોતું.ભરતે બતાવ્યું કે સાચો અધિકાર ધર્મ અને ન્યાય પર આધારિત હોવો જોઈએ. અન્યાય કે બળજબરીથી મળેલું પદ સ્વીકારવાને બદલે તેમણે પોતાના મોટા ભાઈના અધિકારને માન આપ્યો હતો.આ જ કારણ છે કે રામાયણમાં ભરતનું પાત્ર શ્રીરામના ભાઈથી ઘણું આગળનું માનવામાં આવે છે. શ્રીરામે પિતાનું વચન પાળીને ત્યાગનું ઉદાહરણ આપ્યું હતું તો ભરતે પણ રાજસિંહાસન, મહેલના સુખ અને વૈભવનો ત્યાગ કરીને ભાઈપ્રેમ અને ધર્મનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramayana Bharat , Jai Jai Ram Song Bharat Tyag Story
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ