ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ભર ચોમાસે પાણી માટે વલખાં મારવાં પડશે, રાજકોટમાં 6 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે

રાજકોટ / ભર ચોમાસે પાણી માટે વલખાં મારવાં પડશે, રાજકોટમાં 6 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે

Published By: Vishal Khamar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 12:03 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ત્રણ પાણીની લાઈનો તૂટતા 21 સપ્ટેમ્બર સુધી 18 વોર્ડમાં પાણીનો કાપ રહેશે. પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.

ADVERTISEMENT

રાજકોટ: રાજકોટ શહેરમાં આગામી છ દિવસ સુધી પાણી પુરવઠાને અસર થવાની સ્થિતિ સર્જાઈ છે. પાણી પુરવઠાની લાઈનમાં ખામી સર્જાતા શહેરના 18 વોર્ડના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તંત્ર દ્વારા 21 સપ્ટેમ્બર સુધી પાણીકાપની અસર રહેવાની માહિતી આપવામાં આવી છે. સૌની યોજના મારફતે નર્મદાનું પાણી ડેમ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ ડેમમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થામાં સમય લાગશે. જેના કારણે લોકોને નિયમિત પાણી પુરવઠા માટે હજુ રાહ જોવી પડશે.

ત્રણ લાઈનમાં ખામી, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

શહેરમાં પાણી પહોંચાડતી ત્રણ લાઈનમાં ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પ્રભાવિત થયું છે. પરિણામે 18 વોર્ડમાં લોકોને આગામી દિવસોમાં પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. તંત્ર દ્વારા લાઈનની કામગીરી અને પાણી પુરવઠો પૂર્વવત કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, સામાન્ય પુરવઠો શરૂ થતાં હજુ કેટલાક દિવસ લાગવાની શક્યતા છે.

મહિલાઓમાં રોષ, બહારથી પાણી ખરીદવાની નોબત

છ દિવસના પાણીકાપને કારણે સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે રોજિંદા વપરાશ માટે પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે. કેટલાક પરિવારોને બહારથી પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. “અમારે બહારથી પાણી વેચાતું લેવું પડે છે. રોજિંદા જીવનમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.”

‘ચોમાસામાં આ સ્થિતિ છે તો ઉનાળામાં શું થશે?’

સ્થાનિક રહેવાસીઓએ પાણી પુરવઠાની વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. એક સ્થાનિકે જણાવ્યું હતું કે, “હાલ ચોમાસાની સિઝનમાં જ જો પાણી માટે આટલી મુશ્કેલી પડી રહી હોય તો ઉનાળામાં સ્થિતિ કેવી હશે?” અન્ય રહેવાસીઓએ પણ વર્ષોથી નિયમિત રીતે વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓમાં ખામી રહેતી હોવાનો આક્ષેપ કર્યો છે.

‘વેરો ભરીએ છીએ, છતાં પાણી માટે પરેશાની’

સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ નિયમિત રીતે વેરાબિલ ભરે છે, છતાં પાણી જેવી મૂળભૂત સુવિધા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક રહેવાસીએ રોષ વ્યક્ત કરતાં કહ્યું, “વર્ષોથી વેરાબિલ ભરીએ છીએ, છતાં પ્રાથમિક સુવિધા મળતી નથી. જો યોગ્ય રીતે પાણી આપવામાં નહીં આવે તો અમે વેરો નહીં ભરીએ.”

આ પણ વાંચોઃ 50 લાખની સામે 1.05 કરોડ ચૂકવ્યા છતાં 2 કરોડની પઠાણી ઉઘરાણી, જામનગરમાં સરકારી કોન્ટ્રાક્ટરે પોલીસકર્મી સહિત 4 સામે ફરિયાદ કરી

એક્સપ્રેસ ફીડર લાઈનનો મુદ્દો ફરી ચર્ચામાં

રાજકોટમાં પાણીની સમસ્યા વચ્ચે એક્સપ્રેસ ફીડર લાઈન નાખવાની વાત પણ ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે લાંબા ગાળે પાણી પુરવઠો સુચારુ રાખવા માટે જરૂરી માળખાકીય કામગીરી ઝડપથી પૂર્ણ થવી જોઈએ. હાલમાં તંત્રનું મુખ્ય ધ્યાન ખામીગ્રસ્ત લાઈનોને દુરસ્ત કરી પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવા પર છે. 21 સપ્ટેમ્બર સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot water cut Rajkot water supply Rajkot water shortage

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ