ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઘરમાં ભૂલથી પણ જમીન પર ન રાખશો આ 5 વસ્તુઓ, વાસ્તુ મુજબ આવી શકે છે આર્થિક મુશ્કેલી

photo-story

7 ફોટો ગેલેરી

વાસ્તુ શાસ્ત્ર / ઘરમાં ભૂલથી પણ જમીન પર ન રાખશો આ 5 વસ્તુઓ, વાસ્તુ મુજબ આવી શકે છે આર્થિક મુશ્કેલી

Last Updated: 11:29 AM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં અમુક વસ્તુઓ સીધી જમીન પર મૂકવી અશુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી નકારાત્મક ઊર્જા અને આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

1/7

photoStories-logo

1. જમીન પર સીધી આ વસ્તુઓ ના રાખવી

કહેવાય છે કે જો ઘરમાં વસ્તુઓને યોગ્ય દિશા અને સ્થાન પર રાખવામાં આવે, તો તેનાથી માત્ર સુખદ વાતાવરણ જ જળવાઈ રહેતું નથી, પરંતુ સકારાત્મક ઊર્જાનો પણ સંચાર થાય છે. આ કારણોસર, વસ્તુઓની ગોઠવણી કરતી વખતે વાસ્તુના સિદ્ધાંતોનું પાલન કરવું આવશ્યક છે. વાસ્તુ અનુસાર, ઘરની અમુક વસ્તુઓને સીધી જમીન પર મૂકવી શુભ માનવામાં આવતી નથી. આમ કરવાથી ઘરની ઊર્જા પર અસર પડી શકે છે અને આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વળી, તમારી આ નાનકડી ભૂલ વાસ્તુ દોષનું કારણ પણ બની શકે છે. જો તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોય, તો વાસ્તુના આ સિદ્ધાંતો વિશે જાણકારી હોવી અત્યંત આવશ્યક છે. આવો જાણીએ કે, કઈ વસ્તુઓ સીધી જમીન પર રાખવાથી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. જમીન પર ના રાખો મંદિર

વાસ્તુના સિદ્ધાંતો અનુસાર, ઘરના મંદિરને ક્યારેય સીધું જમીન પર ન રાખવું જોઈએ. તેને હંમેશા ઊંચા પાટલા (બાજોઠ) અથવા કપડા પર રાખવું જોઈએ. જો મંદિર મોટું હોય, તો તેની નીચે લાકડાના બ્લોક અથવા પથ્થરની શીલાઓ મૂકવી જોઈએ. સીધા જમીન પર રાખવામાં આવેલા મંદિરમાં કરવામાં આવતી પૂજાથી સંપૂર્ણ આધ્યાત્મિક લાભ મળતો નથી. તેવી જ રીતે, શિવલિંગ કે શાલિગ્રામને પણ ક્યારેય સીધા જમીન પર ન રાખવા જોઈએ, કારણ કે આમ કરવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પૂજાનો દીવો

જ્યારે પણ તમે ઘરમાં આરતી કરો અથવા દીવો પ્રગટાવો, ત્યારે તેને ક્યારેય સીધો જમીન પર ન મૂકવો જોઈએ. દીવાને હંમેશા થાળી અથવા ઊંચા પાટલા (બાજોઠ) પર મૂકવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પૂજાનો કળશ

ઘણીવાર એવું જોવા મળે છે કે, જ્યારે લોકો પૂજા માટે 'કલશ'ની સ્થાપના કરે છે, ત્યારે તેઓ તેને સીધો જમીન પર મૂકે છે. આમ કરવું યોગ્ય નથી અને તેનાથી પૂજા-વિધિનો સંપૂર્ણ લાભ મળતો નથી. જો તમે કલશની સ્થાપના કરી રહ્યા હોય, તો તેની નીચે થોડા ચોખા અથવા ઘઉં પાથરો. અથવા તો, તમે કલશની નીચે થોડી માટી કે રેતી મૂકીને પણ તેની સ્થાપના કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ભોજનની થાળી

જો તમે ઘરે જમીન પર બેસીને ભોજન કરતા હોય, તો ધ્યાન રાખો કે તમારી થાળી ક્યારેય સીધી જમીન પર ન મૂકો. આમ કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે અને ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. તેના બદલે, ભોજન કરતા પહેલા તમારી થાળીને આદરપૂર્વક લાકડાના નીચા પાટલા કે ટેબલ પર મૂકો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પુસ્તકો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પુસ્તકોમાં દેવી સરસ્વતીનો વાસ હોય છે. તેથી, પુસ્તકોને ક્યારેય સીધા જમીન પર ન મૂકવા જોઈએ. આમ કરવાથી માનસિક તણાવ થઈ શકે છે. જો તમે જાણતા-અજાણતા આવી ભૂલ કરી રહ્યા હોવ, તો કૃપા કરીને આ બાબતનું ધ્યાન રાખો અને આવી વસ્તુઓને સીધી જમીન પર મૂકવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

attract negative energy vastu shastra tips not keep on floor at home
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ