ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PMના જન્મદિવસની ઉજવણી : અમિત શાહ આવતી કાલે ગુજરાતમાં, વડનગરથી વારાણસી રેલીને પ્રસ્થાન કરાવશે
Last Updated: 04:57 PM, 16 September 2026
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આવતી કાલે ૧૭ સપ્ટેમ્બરે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભાજપ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્મદિનની ઉજવણીને લઈને રાજ્યભરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આવતી કાલે ગુજરાત આવશે અને વડનગરથી વારાણસી જતી રેલીને પ્રસ્થાન કરાવશે.
ADVERTISEMENT
ભાજપન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
વડા પ્રધાનના જન્મદિનને સેવા સાથે જોડીને ભાજપના સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અલગ-અલગ શહેરો અને જિલ્લાઓમાં રક્તદાન, આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ, સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાવાના છે. પક્ષના કાર્યકરો ઉપરાંત સામાજિક સંસ્થાઓ પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મહિલા એશિયા કપ 2026: ફાઇનલમાં શ્રીલંકાને 72 રને કચડીને ભારતીય ટીમ બની ચેમ્પિયન
વડનગરમાં વિશેષ કાર્યક્રમ
ADVERTISEMENT
પીએમ મોદીના જન્મસ્થળ વડનગરમાં જન્મદિન નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અહીંથી વારાણસી જતી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવશે. વડનગર સાથે વડા પ્રધાનના લાંબા સમયથી જોડાયેલા સંબંધોને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જન્મદિન નિમિત્તે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા-અર્ચના અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યકરો દ્વારા મંદિરોમાં દર્શન અને પ્રાર્થના સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. કેટલીક જગ્યાએ જરૂરિયાતમંદોને સામગ્રી વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭ સપ્ટેમ્બરના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત જન્મદિનની ઉજવણીને લઈને રાજ્યમાં વિવિધ દિવસોમાં કાર્યક્રમોની શ્રેણી યોજાવાની છે. સેવા પ્રવૃત્તિઓ દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી સંગઠનના કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.