ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં વીજ કરંટને કારણે બે સગા ભાઈ-બહેનના મોત, ઝટકા મશીનનો વાયર વીજ લાઈનને અડી ગયો
Last Updated: 09:45 PM, 16 September 2026
ADVERTISEMENT
અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામમાં વીજ કરંટ લાગવાથી બે સગા ભાઈ-બહેનના મોત થયા છે. અશોક મનુ પાવરાની વાડીમાં આ ઘટના બની હતી. મૃતકો દાહોદ જિલ્લાના ખેતમજૂર પરિવારના હતા જેઓ વાડીમાં રહીને કામ કરતા હતા.
ADVERTISEMENT
કેવી રીતે લાગ્યો કરન્ટ?
વાડી વિસ્તારમાં ઝટકા લાઈન બંધ હતી, પરંતુ તેની બાજુમાં ચાલુ વીજ લાઈનનો વાયર અડી ગયો હતો. આ દરમિયાન બંને ભાઈ-બહેન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેથી ઘટનાસ્થળે જ બંનેના મોત થયા હતા.
ADVERTISEMENT
અમરેલી PGVCL એન્જિનિયરે શું કહ્યું?
ADVERTISEMENT
મૃતકોની ઓળખ 21 વર્ષીય રાજુ કચરા ભામોર અને 16 વર્ષીય લક્ષ્મીબેન કચરા ભામોર તરીકે થઈ છે. અમરેલી PGVCLના કાર્યપાલક એચ.જી. નાગરે જણાવ્યું કે, ઘટના બન્યા બાદ તેમની દામનગર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે તે PGVCLની સર્વિસ લાઈન નહોતી, પરંતુ ખેડૂતની પોતાની મીટર માટેની લાઈન હતી. વધુમાં જણાવ્યું કે, ખેડૂતે વાયર લાંબો કરીને રાખ્યો હતો અને તે જમીન પર નીચે હતો. આ વાયરને અડકી જવાથી ભાઈ-બહેનને કરંટ લાગ્યો અને તેમના મોત થયા.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો