ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, સાતમથી દશેરા સુધી ઝાપટાંની શક્યતા

ગુજરાત / નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, સાતમથી દશેરા સુધી ઝાપટાંની શક્યતા

Published By: Nidhi Panchal

Last Updated: 11:08 AM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ફરી જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 12 કલાક દરમિયાન વરસાદની શક્યતા સાથે નવરાત્રી દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. તેમણે સાતમથી દશેરા સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ‘હથિયો’ ગાજવાની સંભાવના પણ જણાવી છે.

ADVERTISEMENT

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 12 કલાક દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આગામી કલાકોમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

navratri varsad

નવરાત્રીના દિવસોને લઈને પણ મહત્વની આગાહી

અંબાલાલ પટેલે આગામી નવરાત્રીના દિવસોને લઈને પણ મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે હવામાનની આ આગાહી મહત્વની બની શકે છે. અંબાલાલ પટેલે ખાસ કરીને સાતમથી દશેરા સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. એટલે નવરાત્રીના દિવસોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે.

26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીના સમયગાળાને લઈને પણ આગાહી

અંબાલાલ પટેલે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીના સમયગાળાને લઈને પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આ સમય દરમિયાન ‘હથિયો’ ગાજવાની શક્યતા છે. જો હથિયો ગાજે તો વધારે વરસાદ થવાની શક્યતા રહેતી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. આ કારણે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીનો સમયગાળો વરસાદની દૃષ્ટિએ મહત્વનો બની શકે છે. નવરાત્રીના દિવસો પણ આ સમયગાળાની આસપાસ આવતાં હોવાથી તહેવાર દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા અંગે આગાહી કરવામાં આવી છે.

5 ઓક્ટોબરના રોજ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા

આ ઉપરાંત અંબાલાલ પટેલે 5 ઓક્ટોબરના રોજ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. જોકે, હાલની આગાહી પ્રમાણે આગામી 12 કલાકથી લઈને નવરાત્રી સુધી અલગ-અલગ તબક્કામાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે માત્ર સપ્ટેમ્બર અને નવરાત્રીના વરસાદ અંગે જ નહીં, પરંતુ વર્ષના અંતિમ મહિનાઓને લઈને પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સાયક્લોન આવવાની શક્યતા છે. એટલે આગામી સમયમાં ગુજરાત સહિત દરિયાઈ વિસ્તારોના હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં આજે ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, AMTS-BRTS સેવા ખોરવાઈ

હાલમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલની આ આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા યથાવત રહેવાની છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને ઉત્તર ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની અને સાતમથી દશેરા સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ‘હથિયો’ ગાજવાની શક્યતા અને 5 ઓક્ટોબરે દરિયામાં ભારે પવનની શક્યતા પણ આગાહીમાં સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Rain Gujarat Weather Ambalal Patel Forecast

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ