ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / UPI પેમેન્ટ લેવાનું બંધ કે મર્યાદિત કરી દેશે કંપનીઓ? MDR ચાર્જના કારણે 1.2 કરોડના નુકસાનની ભીતિ
Last Updated: 09:12 PM, 17 September 2026
ADVERTISEMENT
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લેવાના પ્રસ્તાવને કારણે વેપારી આલમમાં નવી ચર્ચા છેડાઈ છે. ખાસ કરીને જે બિઝનેસનું પ્રોફિટ માર્જિન અત્યંત ઓછું છે, તેમના માટે આ નવો ચાર્જ મોટો આર્થિક બોજ બની શકે છે. આ મામલે એમપીસી ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર રાહુલ મમ્મને પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો UPI વ્યવહારો પર વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે તો તેમણે મોટો આર્થિક ફટકો સહન કરવો પડશે અને કંપની UPI દ્વારા ચૂકવણી સ્વીકારવાના નિયમો કડક કરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાહુલ મમ્મને પોતાની લિંક્ડઇન પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેમની કંપની ગ્રાહકોને રોકડ, ચેક કે NEFT ને બદલે હંમેશા UPI થી ચુકવણી કરવા પ્રોત્સાહિત કરે છે. તેમની કંપની દરરોજ સરેરાશ 1 કરોડ રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શનનું મેનેજમેન્ટ કરે છે. જો 0.4% ના દરે MDR લાગુ કરવામાં આવે તો કંપનીએ દરરોજ 40,000 રૂપિયા અને વાર્ષિક ધોરણે આશરે 1.2 કરોડ રૂપિયા માત્ર ચાર્જ પેટે ચૂકવવા પડશે.
આ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કનન બહલે પણ સમર્થન આપતા જણાવ્યું હતું કે જે વેપારમાં ચોખ્ખું માર્જિન માત્ર 2 થી 3% હોય, ત્યાં 0.4% નો MDR ચાર્જ વસૂલવાથી કંપનીના કુલ નફા પર 11 થી 17% સુધીનો મોટો કાપ મુકાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાર્મા કંપનીએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા સંશોધિત નિયમો મુજબ, તમામ મર્ચેન્ટ્સ પર આ ચાર્જ લાગુ થશે નહીં:
2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન: 2000 રૂપિયાથી વધુના પાત્ર પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર જ 0.4% MDR લાગુ થશે, જેની મહત્તમ મર્યાદા 300 રૂપિયા રાખવામાં આવી છે.
ADVERTISEMENT
96% નાના વેપારીઓ મુક્ત: આ નિયમમાંથી નાના વેપારીઓને સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. જે મર્ચેન્ટ્સ UPI QR કોડ દ્વારા મહિને 1 લાખ રૂપિયા સુધીનું કલેક્શન મેળવે છે, તેમણે કોઈ MDR ચૂકવવો પડશે નહીં.
વિશેષ ક્ષેત્રો માટે રાહત: રેલવે, ટેલિકોમ, વીમા અને ફ્યુઅલ (બળતણ) જેવા ક્ષેત્રો માટે ટકાવારીના બદલે ફ્લેટ 5 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે. જ્યારે કેપિટલ માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ અને બ્રોકિંગ ટ્રાન્ઝેક્શન માટે માત્ર 0.02% (મહત્તમ 300 રૂપિયા) નો રેટ નક્કી કરાયો છે.
ADVERTISEMENT
જો ઓછું માર્જિન ધરાવતી મોટી કંપનીઓ UPI થી ચુકવણી લેવાનું મર્યાદિત કરશે તો ડિજિટલ ઇન્ડિયાના આ લોકપ્રિય માધ્યમ પર તેની કેવી અસર પડે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ