ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષની પુત્રીની હત્યા કરીને લાશ શણગારીને ફ્રિજમાં મૂકી, પછી ગળેફાંસો ખાધો
Last Updated: 07:59 PM, 17 September 2026
ADVERTISEMENT
અમરેલીના સાવરકુંડલાના હાડીડા ગામમાં પિતાએ 5 વર્ષીય દીકરીની હત્યા કરીને લાશ ફ્રિજમાં મૂકી હતી પછી પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.
ADVERTISEMENT
ફ્રિજમાં શણગારેલી દીકરીની લાશ મળી
ફ્રિજમાં શણગારેલી હાલતમાં દીકરી મૃત મળી આવી છે અને રૂમમાં હાથ-પગમાં મોજા પહેરેલા અને મોઢું ઢાંકેલું હતું એવી ગળેફાસો ખાધેલી હાલતમાં પિતાનો મૃતદેહ મળી આવ્યો છે.
ADVERTISEMENT
મોં પર આડો હાથ દઈ દીકરીનો રૂંધવી નાખ્યો
કિશોરભાઈ નામના શખ્સે દીકરીના મોં પર આડો હાથ દઈ શ્વાસ રુંધાવી તેની હત્યા કરી મૃતદેહને ફ્રિજમાં છુપાવી દીધો હતો. આર્થિક સંકડામણમાં પિતાએ આ કામ કર્યું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
કોણ છે શખ્સ?
મૃતક પિતાની ઓળખ કિશોરભાઈ ધાણક તરીકે થઈ છે. પિતા અને પુત્રી બંનેના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.આ ઘટનાને પગલે માસૂમ બાળકીની માતાએ પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ સુસાઈટ નોટ મળી આવી તેમાં પણ આર્થિક સંકડામણનું કારણ આગળ ધર્યું છે હાલ આ ઘટનાને લઈ ચારે તરક સર્ચા સાથે લોકોમાં ભારે ગણગણાટ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે બંનેના મોત અંગેની હકીકત બહાર આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.