ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહુડીમાં દાનના નામે મોટી ઠગાઈ, એક ફોન કરી કર્મચારીએ સેટેલાઇટના બિઝનેસમેનને 21.79 લાખનો ચૂનો લગાવ્યો
Last Updated: 06:43 PM, 17 September 2026
ADVERTISEMENT
ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ મહુડી મંદિરના કાર્યક્રમના દાનન નામે એક મોટી છેતરપિંડી સામે આવી છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં વેપારી સાથે ₹21.79 લાખની છેતરપિંડી આચરાઈ હતી. મહુડી મંદિરના કર્મચારીના પુત્રે દાન અને નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના નામે ફોન કરીને 20 દિવસ પૈસા લીધે રાખ્યાં હતા.
ADVERTISEMENT
કોણ છે ભોગ બનનાર વેપારી?
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય મયૂર શાહ દાન નામે છેતરપિંડીનો ભોગ બન્યાં હતા. આરોપ છે કે 23 જુલાઈએ તેજસ શાહ નામના વ્યક્તિએ મયૂર શાહને ફોન કરીને કહ્યું હતું કે નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું, તમારે કોઈ રકમ દાન કરવાની છે? જેથી મયુરભાઈ હા પાડતા તેજસે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો, જેમાં મયુરભાઈ પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં તેજસે મહારાજ સાહેબના નામે વધુ રકમ માંગતા મયુરભાઈએ દાન સમજીને આપી હતી. આ પછી પણ આરોપીએ ફોન કરતાં મયૂર શાહે 23 જુલાઈથી 14 ઓગસ્ટ સુધીમાં કુલ 21.79 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ADVERTISEMENT
પૈસા લીધા બાદ ફોન બંધ કરી નાખ્યો
પૈસા આપ્યા બાદ એક વાર ખાતરી કરવા માટે મયૂર શાહે ફોન કર્યો પરંતુ તેજસ શાહનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ મયૂર શાહે તેમના દીકરા દ્વારા ઉપાશ્રયમાં તપાસ કરાવી ત્યારે ખબર પડી કે મહારાજ સાહેબને નામે દાનની રકમ અંગે કોઈ ફોન કરાયો નહોતો.
ADVERTISEMENT
વધુ વાંચો : સુરતના નાનપુરામાં 84 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, સામે આવ્યું ખૌફનાક ષડયંત્ર
આરોપીએ પૈસા ગેમિંગમાં ઉડાવ્યાં?
ADVERTISEMENT
મહારાજ સાહેબને નામે મળેલા દાનના પૈસા આરોપી તેજસ શાહે ઓનલાઇન ગેમિંગમાં ઉડાવી મૂક્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.