સંબંધમાં પ્રેમ અને મુશ્કેલીઓ એ એક જ સિક્કાની બે બાજુ જેવી છે. બંને એકબીજા વગર અધૂરા છે. પ્રેમી યુગલો વચ્ચે સંઘર્ષ અનિવાર્ય છે. ખટ્ટ મીઠ્ઠી ક્ષણો જ પ્રેમને લાંબા સમય સુધી ઝાળવી રાખે છે. તો ચાલો જાણીએ કે પ્રેમી યુગલોએ કઈ વાત પર ઝઘડવું જોઈએ અને શા માટે?
પ્રેમમાં વિરોધાભાસ સામાન્ય છે પરંતુ ઘણીવખત પાર્ટનર સાથે રહેતી વખતે પણ પોતે એકલતા અનુભવે છે. તેથી આ બાબતે તમારે સાથી સાથે અવશ્ય ઝઘડવું જોઈએ.
ઘણી વખત જ્યારે પુરૂષો તેમની મહિલા સાથીથી અપેક્ષા રાખીને બેઠાં હોય છે કે તે ઘરના બધા કામો કરે. જો તમે ઓફિસમાંથી આવતા થાકી ગયા હોવ, તો તમે તમારા પાર્ટનરને રસોડામાં સહકાર આપવા માટે કહી શકો છો.
વર્કિંગ વુમન સાસરામાં રહેવું પસંદ નથી કરતી. જો તમારે પણ આવા સંજોગો હોય તો લગ્ન પહેલાં આ વિશે વાત કરો.
પૈસા ભગવાન નથી પરંતુ ભગવાન કરતા ઓછો પણ નથી. પૈસા વગર પ્રેમ ફીક્કો થઈ જતો હોય છે. તેથી પાછળથી પૈસા બાબતે કચકચ ન થાય માટે અગાઉથી આ બાબત વિશે વાત કરો.