ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:21 PM, 2 September 2026
ADVERTISEMENT
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિરના શાસન અને વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરાયું છે. રામ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક કરાઈ છે.
ADVERTISEMENT
કોણ બન્યાં નવા CEO?
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદિરના પહેલા CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) બનાવ્યા છે. બુધવારે યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુપીના દેવરિયાના રહેવાસી જિતેન્દ્ર મિશ્રાએ ઓપરેશન સિંદૂરમાં પશ્ચિમી વાયુ કમાનને લીડ કરી હતી.
ADVERTISEMENT
કોણ છે જીતેન્દ્ર મિશ્રા?
જીતેન્દ્ર મિશ્રા કોઈ સામાન્ય વહીવટી અધિકારી નથી. તેઓ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ એર માર્શલ છે અને પશ્ચિમ વાયુ કમાન્ડના વડા તરીકે સેવા આપી હતી. સૌથી અગત્યનું, તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પશ્ચિમ વાયુ કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું. આ જ કારણ છે કે રામ મંદિર ટ્રસ્ટના સીઈઓ તરીકે તેમની નિમણૂકથી રાજકીય ચર્ચામાં એક નવો વળાંક આવ્યો છે.
ADVERTISEMENT
3 નવા ટ્રસ્ટીની નિયુક્તી
રામ મંદિર માટે ત્રણ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં અયોધ્યાના મદન મોહન, દિલ્લીના મહેશ ભાગચંદકાની અને શિકોહાબાદના નિર્મલા યાદવની ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
ADVERTISEMENT
ત્રણ ટ્રસ્ટી પદ ખાલી હતા
ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અને વિમલેન્દ્ર મોહનના અવસાન પછી, ત્રણ ટ્રસ્ટી પદ ખાલી હતા. ત્રણ વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અશોક સિંઘલના સંબંધી મહેશ ભાગચંદકા અને હાઈકોર્ટમાં મંદિરના વકીલ મદન મોહન પાંડે, રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ઓનલાઈન જોડાયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : ખુશખબર : અમદાવાદમાં બનશે 1436 EWS આવાસ, રૂ. 150 કરોડના ખર્ચે બે યોજનાઓ મંજૂર
CEO પાસે શું જવાબદારી હશે?
ADVERTISEMENT
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વ્યાવસાયિક શાસન અને પારદર્શિતા માટે CEO આવશ્યક છે. CEO ટ્રસ્ટના મહાસચિવને રિપોર્ટ કરશે અને તેમની પાસે તમામ વહીવટી, નાણાકીય અને કાનૂની સત્તા હશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો