ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુરુઓએ જ શિષ્યોનું ભવિષ્ય અંધકારમાં ધકેલ્યું! 3334 શિક્ષકોને આ ભૂલ બદલ દંડ ફટકારાયો
Last Updated: 04:12 PM, 2 September 2026
ADVERTISEMENT
અમદાવાદ: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્યમાં બેદરકારી દાખવનારા શિક્ષકો સામે શિક્ષણ બોર્ડે કાર્યવાહી કરી છે. ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન માર્ક્સ આપવામાં થયેલી ભૂલના આધારે રાજ્યના કુલ 3,334 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભૂલ કરનારા શિક્ષકો પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવ
મળતી માહિતી મુજબ, મૂલ્યાંકન કાર્ય દરમિયાન એક અથવા વધુ ગુણની ભૂલ કરનારા શિક્ષકો પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવશે. 1 ગુણની ભૂલ માટે ₹100ના હિસાબે દંડ નક્કી કરવામાં આવ્યો છે. ભૂલની સંખ્યા પ્રમાણે દંડની રકમમાં વધારો થશે.
ADVERTISEMENT
અમદાવાદ જિલ્લામાં 229 શિક્ષકો સામે કાર્યવાહી
ADVERTISEMENT
અમદાવાદ જિલ્લામાં પણ ઉત્તરવહીના મૂલ્યાંકનમાં બેદરકારી દાખવનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં 229 શિક્ષકો પાસેથી ₹3 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે. ઉત્તરવહી ચકાસતી વખતે વિદ્યાર્થીઓને યોગ્ય ગુણ ન આપવા અથવા ગુણમાં ભૂલ કરવા બદલ આ દંડની કાર્યવાહી કરાઈ છે.
મૂલ્યાંકન કાર્યમાં ગેરહાજર રહેનારા શિક્ષકોને પણ દંડ
ADVERTISEMENT
માત્ર ગુણની ભૂલ કરનારા શિક્ષકો જ નહીં, પરંતુ બોર્ડના મૂલ્યાંકન કાર્યમાં હાજર ન રહેનારા શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં 289 શિક્ષકો મૂલ્યાંકન કાર્યમાં હાજર રહ્યા ન હતા, જેથી તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

ADVERTISEMENT
ભૂલના પ્રમાણ પ્રમાણે દંડની રકમ નક્કી થશે
બોર્ડની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં શિક્ષકો દ્વારા કરાયેલી ભૂલને ગંભીરતાથી લેવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના પરિણામ પર સીધી અસર કરતી માર્ક્સની ભૂલના આધારે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
1 ગુણની ભૂલ માટે ₹100નો દંડ વસૂલાશે
નિયમ મુજબ દરેક 1 ગુણની ભૂલ માટે ₹100નો દંડ વસૂલાશે. એટલે કે જેટલા ગુણની ભૂલ હશે, તે પ્રમાણે દંડની રકમ નક્કી થશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ચોકસાઈ જળવાય અને વિદ્યાર્થીઓને તેમના યોગ્ય ગુણ મળી રહે તે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.