ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જન્માષ્ટમી પર બનશે દુર્લભ મહાસંયોગ, 4 રાશિઓનો શરૂ થશે સારો સમય!

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / જન્માષ્ટમી પર બનશે દુર્લભ મહાસંયોગ, 4 રાશિઓનો શરૂ થશે સારો સમય!

Last Updated: 04:32 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

4 સપ્ટેમ્બર 2026 ના રોજ જન્માષ્ટમી પર દ્વાપર યુગ જેવો રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિનો ચંદ્ર, સર્વાર્થ સિદ્ધિ અને હર્ષણ યોગનો દુર્લભ મહાસંયોગ રચાઈ રહ્યો છે.

1/7

photoStories-logo

1. જન્માષ્ટમી પર બનશે દુર્લભ મહાસંયોગ, 4 રાશિઓનો શરૂ થશે સારો સમય!

આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પાવન પર્વ અત્યંત દિવ્ય અને ઐતિહાસિક જ્યોતિષીય સંયોગો સાથે ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિ, મધ્યરાત્રિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિના ચંદ્રમાના શુભ લગ્નમાં થયો હતો. આ વર્ષે પણ જન્માષ્ટમી પર ઠીક એવો જ અલૌકિક અને દુર્લભ યોગ બની રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શુભ મહાસંયોગ

પંચાંગ અનુસાર, આ દિવસે ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં બિરાજમાન રહેશે અને રોહિણી નક્ષત્રની સાક્ષી રહેશે. આ સાથે જ આ પાવન દિવસે 'સર્વાર્થ સિદ્ધિ યોગ' અને 'હર્ષણ યોગ' નો અતિ શુભ મહાસંયોગ પણ રચાઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં સર્વાર્થ સિદ્ધિ યોગને તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારો અને હર્ષણ યોગને જીવનમાં અસીમ આનંદ લાવનારો માનવામાં આવે છે. લાડુ ગોપાલના જન્મોત્સવ પર બની રહેલા આ પવિત્ર યોગોના પ્રભાવથી 4 મુખ્ય રાશિના જાતકો માટે ભાગ્યોદયના દ્વાર ખુલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વૃષભ

જન્માષ્ટમી પર ચંદ્રમા તમારી જ રાશિમાં ઉચ્ચના થઈને બિરાજશે. રોહિણી નક્ષત્રનો આ સંયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. લાંબા સમયથી અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને આર્થિક લાભના મજબૂત યોગ બનશે. કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ અને પ્રશંસા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સિંહ

સર્વાર્થ સિદ્ધિ અને હર્ષણ યોગ સિંહ રાશિના જાતકો માટે કરિયર અને વ્યાપારમાં નવી ઊંચાઈઓ લાવશે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને સફળતા મળશે. સમાજમાં માન-સન્માન વધશે અને જૂના રોકાણ કે પૈતૃક સંપત્તિમાંથી મોટો આર્થિક ફાયદો થવાના સંકેત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વૃશ્ચિક

વૃષભ રાશિનો ચંદ્ર તમારી રાશિના સાતમા ભુવનને સુશોભિત કરશે, જેનાથી દંપતી જીવન અને ભાગીદારીના કામોમાં સફળતા મળશે. વ્યાપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે અને અટકેલું ધન પરત મળવાની પૂર્ણ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મકર

મકર રાશિના જાતકો માટે આ દિવ્ય સંયોગ અત્યંત શુભ ફળદાયી નીવડશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. જન્માષ્ટમીની રાત્રે કરો આ ખાસ ઉપાય

મધ્યરાત્રિ 12 વાગ્યે કાન્હાના જન્મ સમયે પંચામૃતથી અભિષેક કરી તેમને માખણ-મિશ્રી અને તુલસી પત્ર અર્પણ કરો. આ સાથે રોહિણી નક્ષત્ર અને વૃષભના ચંદ્રને અર્ઘ્ય આપીને 'ઓમ ક્લીં કૃષ્ણાય નમઃ' મંત્રનો જાપ કરવાથી સર્વાર્થ સિદ્ધિ યોગનું પૂર્ણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami2026 KrishnaJanmashtami ZodiacSigns
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ