ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘નહીં તો અપરાધ થઈ જશે’, ‘હનુમાન અંશ’ના મેકર્સને પ્રેમાનંદ મહારાજે કેમ આપી વોર્નિંગ?

photo-story

4 ફોટો ગેલેરી

મનોરંજન / ‘નહીં તો અપરાધ થઈ જશે’, ‘હનુમાન અંશ’ના મેકર્સને પ્રેમાનંદ મહારાજે કેમ આપી વોર્નિંગ?

Last Updated: 12:20 AM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' એ ₹2 કરોડના બજેટ સામે 50 કરોડનું કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે.

1/4

photoStories-logo

1. ‘નહીં તો અપરાધ થઈ જશે’, ‘હનુમાન અંશ’ના મેકર્સને પ્રેમાનંદ મહારાજે કેમ આપી વોર્નિંગ?

નીમ કરોલી બાબાના દિવ્ય જીવન પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. માત્ર ₹2 કરોડના અતિ સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડતાં ₹50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ આ સફળતા પાછળ એક ખાસ વાર્તા છુપાયેલી છે. ફિલ્મ નિર્માતા અનુપ્રિયા નાગરે આ ફિલ્મ બનાવતા પહેલાં પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ પાસેથી આશીર્વાદ અને માર્ગદર્શન મેળવ્યા હતા, જેણે આ ફિલ્મને મોટી દુર્ઘટના અને ટ્રોલિંગમાંથી બચાવી લીધી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. પ્રેમાનંદ મહારાજે આપી હતી ગંભીર ચેતવણી

ફિલ્મના નિર્માણ પહેલાં જ્યારે નિર્માતાએ સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી, ત્યારે મહારાજજીએ સ્પષ્ટ શબ્દોમાં હિદાયત આપી હતી કે કોઈ પણ મહાપુરુષ કે સંતના જીવન પર ફિલ્મ બનાવતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકપ્રિયતા કે કમાણી મેળવવા માટે કોઈ પણ સંતના ચરિત્રમાં કાલ્પનિક કે સંસારિક વિષયો ન ઉમેરવા જોઈએ. જો લોકપ્રિયતા માટે સત્યથી વેગળા થઈને ખોટી બાબતો પીરસવામાં આવશે, તો તે એક મોટો અપરાધ ગણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. અભિનયમાં સત્યતા લાવવા સાધના જરૂરી

સંત પ્રેમાનંદ મહારાજે સલાહ આપી હતી કે મહાપુરુષોનો અભિનય કરવા માટે કલાકારોએ પોતે સાત્વિક જીવન જીવવું પડે છે અને સાધના કરવી પડે છે. પવિત્ર ફલાહાર, સંતોનો સંગ અને તેમના ચરિત્રનું અધ્યયન કર્યા વિના આવા દિવ્ય પાત્રોનો આત્મા સ્ક્રીન પર લાવી શકાતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. મહારાજજીની સલાહે ઉગારી ફિલ્મ

'હનુમાન અંશ' ના મેકર્સે પ્રેમાનંદ મહારાજની આ વાતોને ગંભીરતાથી લીધી અને કોઈ પણ પ્રકારના મસાલા કે અસત્ય ઉમેર્યા વિના મર્યાદામાં રહીને ફિલ્મ બનાવી. શરૂઆતના દિવસોમાં ધીમી ગતિએ ચાલ્યા બાદ ૧૭મા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સ્પીડ પકડી હતી અને ૨૫ દિવસમાં ₹૫૦ કરોડનું કલેક્શન કરીને ૨૦૨૬ ની સૌથી મોટી સરપ્રાઈઝ હિટ સાબિત થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HanumanAnsh NeemKaroliBaba PremanandMaharaj
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ