ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 100થી વધુ ફિલ્મોમાં સંગીત આપનાર જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું મોડી રાત્રે અમદાવાદમાં નિધન

ગુજરાત / 100થી વધુ ફિલ્મોમાં સંગીત આપનાર જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું મોડી રાત્રે અમદાવાદમાં નિધન

Published By: Nidhi Panchal

Last Updated: 07:07 AM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું મોડી રાત્રે નિધન થયું છે. અમદાવાદમાં તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમના નિધનથી ગુજરાતી સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

ADVERTISEMENT

ગુજરાતી ફિલ્મ જગત માટે 3 સપ્ટેમ્બરનો દિવસ દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું મોડી રાત્રે અમદાવાદમાં નિધન થયું છે. તેમણે પોતાના જીવનમાં ગુજરાતી સંગીત અને ફિલ્મ જગતમાં મોટું યોગદાન આપ્યું હતું. ખાસ વાત એ છે કે ગૌરાંગ વ્યાસે 100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમના સંગીતે ગુજરાતી ફિલ્મોના અનેક ગીતોને લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નિધનના સમાચાર સામે આવતા ગુજરાતી ફિલ્મ અને સંગીત સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

gaurang-2

ગૌરાંગ વ્યાસ જાણીતા સંગીતકાર અને ગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર હતા. એટલે સંગીત તેમને વારસામાં મળ્યું હતું, પરંતુ ગૌરાંગ વ્યાસે પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ સંગીતની સાથે સુગમ સંગીત, લોકસંગીત, ભજન, રાસ-ગરબા અને અન્ય સંગીત ક્ષેત્રોમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. ગુજરાતી વિશ્વકોશ મુજબ તેમણે 2004 સુધીમાં લગભગ 100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમણે ગુજરાતી ગીત-કવિઓ અને ગઝલકારોની 500થી વધારે રચનાઓને પણ સંગીત આપ્યું હતું.

ગુજરાતી રાસ-ગરબામાં પણ તેમણે નવા પ્રકારના સંગીત પ્રયોગો કર્યા

ગૌરાંગ વ્યાસનું સંગીત માત્ર ફિલ્મો સુધી જ સીમિત રહ્યું નહોતું. ગુજરાતી રાસ-ગરબામાં પણ તેમણે નવા પ્રકારના સંગીત પ્રયોગો કર્યા હતા. નૃત્યનાટિકા, TV, લોકસંગીત અને ભજન સંગીતમાં પણ તેમનું કામ જોવા મળ્યું હતું. તેમના સંગીતના કેટલાક આલ્બમોમાં ‘જલારામની ઝુંપડી’, ‘ભજન અનમોલ’, ‘ગંગા સતીનાં ભજનો’, ‘કહત કબીર’, ‘જલારામ બાપાનું હાલરડું’, ‘પ્રાચીન પ્રભાતિયાં’ અને ‘નોન સ્ટોપ ડાંડીયા-રાસ’નો સમાવેશ થાય છે.

‘લવની ભવાઈ’

તેમની સંગીત સફરની વાત કરીએ તો ‘લવની ભવાઈ’ જેવી જાણીતી ગુજરાતી ફિલ્મમાં તેમનું સંગીત યાદગાર રહ્યું હતું. ગૌરાંગ વ્યાસના જાણીતા ગીતોમાં ‘આજ વગડાવો રુડા શરણાઈ ને ઢોલ’ અને ‘મને એકલી મેલીને’ જેવી રચનાઓનો સમાવેશ થાય છે. તેમના સંગીતની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે તેમના અનેક ગીતો આજે પણ ગુજરાતી સંગીતના ચાહકો સાંભળે છે.

‘બેના રે

તેમની જાણીતી રચનાઓમાં ‘બેના રે’ પણ ખાસ છે. આ ગીતને અનુરાધા પૌડવાલે અવાજ આપ્યો હતો અને તેના ગીતકાર અવિનાશ વ્યાસ હતા, જ્યારે સંગીત ગૌરાંગ વ્યાસનું હતું. એટલે આ રચના પિતા-પુત્રની સંગીત પરંપરાને પણ એક રીતે જોડે છે.

તેમની જિંદગીનો એક મહત્વનો ભાગ

ગૌરાંગ વ્યાસ તેમની જિંદગીનો એક મહત્વનો ભાગસ માટે સંગીત માત્ર કામ નહોતું, પરંતુ તેમની જિંદગીનો એક મહત્વનો ભાગ હતું. જાણીતા સંગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર તરીકે તેમણે ગુજરાતી સંગીતની પરંપરાને આગળ વધારી અને પોતાના સંગીતથી અલગ ઓળખ બનાવી. અવિનાશ વ્યાસે પણ ગુજરાતી ફિલ્મો અને ગીતોના ક્ષેત્રમાં મોટું નામ બનાવ્યું હતું અને તેમના પુત્ર ગૌરાંગ વ્યાસે આ સંગીતની પરંપરાને આગળ ધપાવી હતી.

આ પણ વાંચો : નંદલાલાના 5253મા જન્મોત્સવને લઈ દ્વારકામાં તડામાર તૈયારીઓ શરૂ, જન્માષ્ટમી પહેલાં દ્વારકાધિશનું મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું

અમદાવાદમાં મોડી રાત્રે ગૌરાંગ વ્યાસે અંતિમ શ્વાસ લીધા હોવાના સમાચારથી તેમના ચાહકો અને ગુજરાતી ફિલ્મ જગતના લોકોમાં શોકની લાગણી છે. 100થી વધારે ગુજરાતી ફિલ્મોને સંગીત આપનાર આ જાણીતા સંગીતકાર હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે આપેલું સંગીત અને તેમની રચનાઓ હંમેશા ગુજરાતી સંગીતપ્રેમીઓની યાદમાં જીવંત રહેશે. ગુજરાતી ફિલ્મ જગતમાં ગૌરાંગ વ્યાસનું યોગદાન લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Musician Gaurang Vyas Avinash Vyas

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ