ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:54 AM, 25 May 2021
ADVERTISEMENT
ADVERTISEMENT

આ ખતરનાક વાયરસે ભારતમાં અને આખી દુનિયામાં કરોડો લોકોના જીવ લીધા છે અને હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. કહેવામાં આવ્યુ હતુ કે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે અને શ્વાનથી બાળકો સંક્રમિત થશે.
ADVERTISEMENT
વાયરસને મળ્ય નામ
વૈજ્ઞાનિકે આ વાયરસને CCoV-HuPn-2018 નામ આપ્યુ છે. મલેશિયામાં તેના 8 દર્દીઓ મળ્યા હતા જેમાંથી 7 તો બાળકો જ હતા. આમાંથી એક બાળકને ન્યૂમોનિયા થયો હતો અને તેને 4 થી 6 દિવસમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. મિરર યુકેની એક રિપોર્ટ અનુસાર હજુ સુધી તે જાણકારી નથી મળી કે આ વાયરસ કેટલો ખતરનાક સાબિત થશે.
આ વાયરસ ગમે ત્યારે મહામારીનું રૂપ લઇ શકે છે અને તેની તપાસ ચાલી રહી છે, આ વાયરસથી જેટલા પણ લોકો સંક્રમિત થયા છે તે લોકો સાજા થયા છે પરંતુ ડૉક્ટરનુ કહેવું છે કે આ વાયરસની કોઇ દવા નથી મળી. માટે તેનાથી દિવસે ને દિવસે મુશ્કેલીઓ વધશે.
ADVERTISEMENT
.jpg)
વૈજ્ઞાનિકોએ કહ્યું સાવધાની વરતો
ઓહિયો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કહ્યું કે આ વાયરસને આપણે ગંભીરતાથી નથી લઇ રહ્યાં પરંતુ ક્યારેય પણ આ મહામારીનું રૂપ લઇ શકે છે. આ વાયરસ જાનવરોમાંથી માણસોમાં ફેલાઇ રહ્યો છે. આ વાયરસનો કોઇ ઇલાજ પણ સામે આવ્યો નથી.
ADVERTISEMENT
કોરોનાથી ભારતમાં 3 લાખ લોકોના મૃત્યુ
દેશભરમાં કોરોના સંક્રમિતની સંખ્યા 2 કરોડ 67 લાખ 51 હજાર થઇ ગઇ છે અને 3 લાખ 3 હજાર અને 751 લોકો મરી ચૂક્યા છે. સાથે જ અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત એવો દેશ બની ગયો છે કે જ્યાં 3 લાખ લોકો કરતા વધારે મોત થઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો