ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં કાર્ડ ધારકોને હવે 3 કિલોની જગ્યાએ 1 કિલો ચોખા મળશે, પુરવઠા વિભાગની જાહેરાત
Last Updated: 03:37 PM, 7 September 2026
ADVERTISEMENT
ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધારકોને હવે 3 કિલોની જગ્યાએ 1 કિલો જ ચોખા મળશે. અગાઉ 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં આપવાની જાહેરાત થઈ હતી જોકે હવે તેમાં ઘટાડો કરી દેવામાં આવતાં સરકાર સામે સવાલ ઊભા થયા છે.
ADVERTISEMENT
વ્યક્તિદીઠ 2 કિલો બાજરી અપાશે
ADVERTISEMENT
હવે ચોખાના જથ્થામાં 2 કિલોનો ઘટાડો કરીને તેની સામે પૌષ્ટિક અનાજ તરીકે વ્યક્તિદીઠ 2 કિલો બાજરી આપવાનું નવું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે, આ મહિને રેશનકાર્ડ ધારકોને ચોખા ખૂબ જ ઓછી માત્રામાં મળી રહ્યા છે અને તેની સામે ઘઉં-બાજરીનો જથ્થો વધુ પ્રમાણમાં મળી રહ્યો છે. અગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી અપાતી હતી, જે આ મહિને વધારીને 2 કિલો કરાઈ છે. રેશન દુકાનો પર અનાજનો નવો જથ્થો પહોંચી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.