ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:17 AM, 7 September 2026
1/6
આજે કર્ક રાશિમાં ચંદ્ર અને ગુરુના સંયોગથી અત્યંત શુભ 'ગજકેસરી યોગ'નું નિર્માણ થવા જઇ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, સૌભાગ્ય, વૃદ્ધિ અને સમૃદ્ધિના કારક માનવામાં આવે છે, જ્યારે ચંદ્ર મન, માતા અને લાગણીઓનું પ્રતીક છે. કર્ક રાશિ એ ગુરુની ઉચ્ચ રાશિ અને ચંદ્રની પોતાની રાશિ છે. તેથી, કર્ક રાશિમાં આ બે ગ્રહોનો મિલન આ યોગને વધુ શક્તિશાળી અને ફળદાયી બનાવે છે. 9 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલનારા આ ત્રણ દિવસીય યોગથી નીચેની રાશિઓને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
વૃશ્ચિક રાશિના જાતકો માટે, નવમા ભાવમાં 'ગજકેસરી યોગ' રચાશે. લાંબા સમયથી અટકેલા કાર્યો ભાગ્યના સહયોગથી પૂર્ણ થશે. ધાર્મિક અથવા વ્યાવસાયિક યાત્રાઓની તકો ઊભી થશે, જે લાભદાયી સાબિત થશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
ADVERTISEMENT
5/6
મીન રાશિના જાતકો માટે, આ યુતિ પાંચમા ભાવમાં (સંતાન, બુદ્ધિ અને શિક્ષણ) થશે. તમને તમારા સંતાનોને લગતા શુભ સમાચાર મળી શકે છે. કળા, લેખન, સંશોધન કે બૌદ્ધિક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને માન-સન્માન અને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થશે. આ ઉપરાંત, શેરબજાર અને રોકાણમાંથી અચાનક આર્થિક લાભ કે સકારાત્મક વળતર મળવાની પણ શક્યતા છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ