ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજથી અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળ, આ તારીખ સુધી મુસાફરોને પડશે હાલાકી

ગુજરાત / આજથી અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળ, આ તારીખ સુધી મુસાફરોને પડશે હાલાકી

Published By: Nidhi Panchal

Last Updated: 07:52 AM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં આજથી રિક્ષા અને ટેક્સી સંચાલકોએ હડતાળ શરૂ કરી છે. ભાડા વધારાની માંગ સાથે 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ શરૂ થતાં મુસાફરોની મુશ્કેલી વધી શકે છે. રિક્ષા અને ટેક્સી સંચાલકોએ ભાડામાં વધારો કરવાની માંગ સાથે હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈને 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. એટલે કે આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી સેવા પર મોટી અસર જોવા મળી શકે છે. હડતાળના કારણે રોજ રિક્ષા કે ટેક્સીથી ઓફિસ, દુકાન, કોલેજ કે અન્ય કામ માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

auto riksha

રિક્ષા અને ટેક્સી સંચાલકોની મુખ્ય માંગ ભાડામાં વધારો કરવાની છે. સંચાલકોનું કહેવું છે કે હાલના ભાડા સામે વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને યોગ્ય ભાડું મળવું જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી વાહન ચલાવવાનો ખર્ચ વધ્યો છે અને તેની સામે મળતી આવક પૂરતી ન હોવાની ફરિયાદ પણ ચાલકો તરફથી કરવામાં આવી રહી છે. આ કારણોસર રિક્ષા અને ટેક્સી સંચાલકોએ પોતાની માંગણીઓ સરકાર અને સંબંધિત વિભાગ સુધી પહોંચાડવા માટે હડતાળનો નિર્ણય લીધો છે.

10 સપ્ટેમ્બર સુધી રિક્ષા અને ટેક્સી બંધ રહેવાની જાહેરાત

અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા અને ટેક્સી બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. હડતાળ દરમિયાન મોટી સંખ્યામાં રિક્ષા અને ટેક્સી રસ્તા પર નહીં દોડે તેવી શક્યતા છે. જેના કારણે શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રિક્ષા અને ટેક્સી પર આધાર રાખતા લોકોને વૈકલ્પિક વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડી શકે છે.

સાંજના સમયે ઘરે પરત ફરતા મુસાફરોને વધારે તકલીફ પડી

ખાસ કરીને સવારના સમયે ઓફિસ જવા માટે નીકળતા લોકો અને સાંજના સમયે ઘરે પરત ફરતા મુસાફરોને વધારે તકલીફ પડી શકે છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ, બજાર અને અન્ય મહત્વના સ્થળોએ જવા માટે રિક્ષા અથવા ટેક્સીનો ઉપયોગ કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હડતાળને કારણે અમદાવાદ શહેરના જાહેર પરિવહન પર પણ દબાણ વધી શકે છે. રિક્ષા અને કેબ સેવા બંધ રહેતા મુસાફરો બસ સહિતના અન્ય વિકલ્પો તરફ વળી શકે છે. જેના કારણે મુસાફરોની ભીડ પણ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો : કિંજલ રબારીના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ACPનું નિવેદન, "ગાડી કઈ દિશામાં ગઈ તપાસ શરૂ કરી"

હાલ રિક્ષા અને ટેક્સી સંચાલકો દ્વારા ભાડા વધારાની માંગને લઈને 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જો આ સમયગાળા દરમિયાન માંગણીઓ અંગે કોઈ ઉકેલ નહીં આવે તો આગળની સ્થિતિ શું રહેશે તેના પર પણ સૌની નજર રહેશે. હાલ તો અમદાવાદ શહેરમાં આજથી શરૂ થયેલી રિક્ષા અને ટેક્સીની હડતાળના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rickshaw Strike Ahmedabad Taxi Strike Fare Hike

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ