ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મહાભારત લખતી વખતે ગણેશજીની કલમ તૂટી અને પછી પોતાનો એક દાંત તોડ્યો; જાણો કેમ કહેવાય છે ‘એકદંત’!

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / મહાભારત લખતી વખતે ગણેશજીની કલમ તૂટી અને પછી પોતાનો એક દાંત તોડ્યો; જાણો કેમ કહેવાય છે ‘એકદંત’!

Last Updated: 01:06 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Hindu Dharam: શું તમે જાણો છો કે વિશ્વની સૌથી વિશાળ મહાગાથા મહાભારત લખવા માટે સ્વયં બુદ્ધીના દેવતા ભગવાન ગણેશજીને લેખક બનવું પડ્યું હતું? મહર્ષિ વેદવ્યાસની વાણી અને ગણેશની કલમ વચ્ચે એક કઠીન શરત લાદવામાં આવી હતી, જેના તુટવાના ડરથી ગણેશજીને પોતાનો એક દાંત તોડી નાખવો પડ્યો હતો.

1/6

photoStories-logo

1. વેદ વ્યાસે ગણેશજીની મદદ માંગી

ધાર્મિક દંતકથા અનુસાર મહર્ષિ વેદ વ્યાસે ભગવાન ગણેશજી પાસે જઈને તેમને મહાભારત લખવાની વિનંતી કરી. ગણેશજીએ તેમની વાત સાંભળી અને મદદ કરવા સંમત થયા. પરંતુ તેમણે એક શરત મૂકી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગણેશજીની કલમ ચાલવા લાગી

ગણેશજીએ કહ્યું કે એકવાર તેમની કલમ ચાલવા લાગે તો તે એક ક્ષણ માટે પણ અટકશે નહીં. જો વેદ વ્યાસની વાણી વચ્ચે રોકાઇ જાય તો તેઓ તરત જ લખવાનું બંધ કરી દેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મહાભારતની રચના શરૂ થઈ

ધાર્મિક માન્યતા અનુસાર આ મહાભારતની રચનાનો અદભૂત પ્રસંગ શરૂ થયો. વેદ વ્યાસ શ્લોકો બોલતા ગયા અને ગણેશજી લખતા રહ્યા. કુરુવંશની કહાની આગળ વધતી રહી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જ્યારે ગણેશજીની કલમ તૂટી ગઈ

ધાર્મિક દંતકથા અનુસાર ગણેશજી લખવાનું ચાલુ રાખ્યું હતુ ત્યારે એક સમયે તેમની કલમ તૂટી ગઈ. સમસ્યા એ હતી કે જો ગણેશજી રોકાઇ જાય તો તેમની પોતાની શરત તૂટી જાત.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ગણેશે પોતાનો દાંત કેમ તોડી નાખ્યો?

એવું કહેવાય છે કે ગણેશજીએ સમય બગાડ્યા વિના તેમનો એક દાંત તોડી નાખ્યો, તેનો ઉપયોગ કલમ તરીકે કર્યો અને લખવાનું શરૂ કર્યું. તેમના માટે તેમનું વચન સૌથી મહત્વપૂર્ણ હતુ. તેમણે લખવાનું બંધ ના થવા દીધુ, પોતાના તૂટેલા દાંતથી મહાભારત લખવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાને કારણે ભગવાન ગણેશને એકદંત તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે ગણેશના એકદંત વિશે વિવિધ ધાર્મિક કથાઓ પણ પ્રચલિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Ganesh Mahotsav 2026 Mahabharat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ