બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સૈફ-કરીનાના લગ્નમાં ઉછળ્યો હતો 'લવ જેહાદ'નો મુદ્દો? અને પછી..., સોહાએ કર્યો ધડાકો
Last Updated: 12:35 PM, 8 October 2025
બોલિવૂડ પરિવાર ટાગોર-ખાન પરિવારની વારસાગત સ્ટોરી સમજી શકાય કે સમાજના કેટલાક વર્ગો હજુ પણ ઇન્ટરકાસ્ટ લગ્નોને સ્વીકારી શકતા નથી. 1968માં શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાનના લગ્ને ઘણા લોકોએ ના પસંદ કર્યા હતા. આજે ચાર દાયકાથી વધુ પછી, તેમના પુત્ર સૈફ અલી ખાને અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા, ત્યારે પણ કેટલાક લોકોમાં આ અંગે નારાજગી જોવા મળી.
ADVERTISEMENT

આ હવેથી વધુ પડકારજનક બની ગયું છે જ્યારે સૈફની નાની બહેન સોહા અલી ખાને પણ અભિનેતા કુણાલ ખેમુ સાથે ઇન્ટરકાસ્ટ લગ્ન કર્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સોહાએ ખુલાસો કર્યો કે તેમના લગ્ન સમયે અનેક લોકો “લવ જેહાદ” અને “ઘર વાપસી” જેવા શબ્દોનો ઉપયોગ કરતા રહ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
સોહાએ જણાવ્યું કે તે આ બધાથી ખાસ પરેશાન નહોતી, કારણ કે તેમના પ્રિયજન તેમના સાથે હતા. તેમણે કહ્યું, “મને દરેકના પોતાના અભિપ્રાય હોય તેનાથી કોઈ વાંધો નથી. એવું લાગે છે કે જ્યારે તમે લોકોના સમર્થન સાથે હો, ત્યારે નફરત કરનારા અવાજો તમને અસર નથી કરી શકતા.”

ADVERTISEMENT
સોહાએ આ હોબાળાની તુલના પોતાના માતાપિતાની પેઢી સાથે કરી અને કહ્યું કે 1960ના દાયકામાં સ્થિતિ વધુ સારી હતી કારણ કે તે સમય પર લોકો ભેદભાવ કરતા ન હતા . તેમણે જણાવ્યું કે સમય સાથે લોકો થોડા વધારે ભેદભાવ કરતા અને સંકોચીત થઇ ગયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'અમે એવા લોકો નથી કે જે...', વિજય દેવરકોંડાની સગાઇ પર આ શું બોલી રશ્મિકા મંદાના
શર્મિલા ટાગોર પણ આ વિશે યાદ કર્યા, તેમણે કહ્યું કે તેમના અને મન્સૂરના લગ્ન પહેલાં પણ ધમકીઓ મળી હતી અને તેમના પરિવારજનો ખૂબ ચિંતિત હતા. ફોર્ટ વિલિયમની જગ્યાએ રાજદૂત મિત્રના મોટાઘરમાં લગ્ન યોજાયા. મન્સૂર અને શર્મિલાના લગ્ન 43 વર્ષ ચાલ્યા, મન્સૂરનું 2011માં અવસાન થયું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.