ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ધાર્મિક સ્થળોના વિકાસ માટે 10 પ્રોજેક્ટ મંજૂર, ગુજરાત સરકારે 1334091000 રૂપિયા ફાળવ્યા

ગાંધીનગર / ધાર્મિક સ્થળોના વિકાસ માટે 10 પ્રોજેક્ટ મંજૂર, ગુજરાત સરકારે 1334091000 રૂપિયા ફાળવ્યા

Published By: Vishal Khamar

Last Updated: 06:41 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે 10 પ્રોજેક્ટને મંજૂરી. રૂપાલનું વરદાયિની માતાજી મંદિર, ગોંડલનો અનલગઢ કિલ્લો અને અન્ય સ્થળોનો વિકાસ કરાશે.

ADVERTISEMENT

ગાંધીનગર: ગુજરાતમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોના સર્વગ્રાહી વિકાસ માટે કુલ 10 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

રૂપાલ સ્થિત વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસને મંજૂરી

મંજૂર થયેલા પ્રોજેક્ટોમાં ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસને સૌથી વધુ રકમ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓ અને પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે દિશામાં વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવશે.

વિવિધ સ્થળો માટે ફાળવવામાં આવેલી રકમની યાદી

  • ગિર વિસ્તારમાં પ્રવાસનને લગતો આઇકોનિક વિકાસ: રૂ. 46.91 કરોડ
  • ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજી મંદિરનો વિકાસ: રૂ. 35 કરોડ
  • અમદાવાદના કેસરડીમાં જોધલપીર મંદિરનું નવનિર્માણ: રૂ. 21.75 કરોડ
  • અંજારમાં ગોવર્ધન પર્વતનું ડેવલપમેન્ટ: રૂ. 12.98 કરોડ
  • ગોંડલના અનલગઢ કિલ્લો અને મહાકાળી મંદિરનો વિકાસ: રૂ. 5.06 કરોડ
  • નવસારીના વાંસદામાં ઉનાઈ માતાજી મંદિર સંકુલનો વિકાસ: રૂ. 5.03 કરોડ
  • સાવલીના ભાદરવામાં મહિસાગર નદીના ઘાટનું નિર્માણ: રૂ. 3.31 કરોડ
  • મહેસાણાના તરભમાં વાળીનાથ મહાદેવ મંદિરમાં સોલાર પ્રોજેક્ટ: રૂ. 2.68 કરોડ
  • મહેસાણાના ઉમરેચાના મહાકાળી માતાજી મંદિરનું કામ: રૂ. 50 લાખ
  • વલસાડના ધરમપુરમાં ગોરા રામજી મંદિરનું નવનિર્માણ: રૂ. 18.91 લાખ

અનલગઢ કિલ્લા અને મહાકાળી માતાજીના મંદિર વિકાસને પણ મંજૂરી

સૌરાષ્ટ્રમાં ગોંડલના અનલગઢ કિલ્લા અને મહાકાળી માતાજીના મંદિર આસપાસના વિસ્તારના વિકાસને પણ મંજૂર પ્રોજેક્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઐતિહાસિક વારસો અને ધાર્મિક આસ્થાના કેન્દ્રને પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકસાવવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

ઉનાઈ માતાજી મંદિરના વિકાસ માટે પણ વિવિધ કામોને મંજૂરી

નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલા ઉનાઈ માતાજી મંદિરના વિકાસ માટે પણ વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. અહીં ભક્તો અને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રવેશદ્વાર, પ્રદક્ષિણા પથ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાઈબ્રેરી સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

મહિસાગર નદીના ઘાટનું નિર્માણ કરવામાં આવશે

આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે આવેલા ચેહર માતાજી મંદિર નજીક મહિસાગર નદીના ઘાટનું નિર્માણ કરવામાં આવશે. ઘાટ વિસ્તારમાં વોકવે, પેવર બ્લોક, રેલિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતના વિકાસકામો હાથ ધરાશે. આ કામગીરીથી ધાર્મિક સ્થળની સુવિધાઓમાં વધારો થવાની સાથે સ્થાનિક પ્રવાસનને પણ વેગ મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચોઃ અડાજણમાં મહિલાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ ગણતરીની મિનિટોમાં પહોંચી, કોન્સ્ટેબલે CPR આપી બચાવ્યો જીવ!

યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં વધારો

રાજ્યના વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસથી યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં વધારો થશે તેમજ સ્થાનિક સ્તરે પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. સરકારના આ પ્રયાસોથી ધાર્મિક સ્થળોને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવીને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો માર્ગ ખુલશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

religious tourism Gujarat Gujarat temple development Gujarat tourism projects

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ