ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જન્માષ્ટમી પર પૂજા માટે મળશે માત્ર 46 મિનિટનું શુભ મુહૂર્ત, 4 સપ્ટેમ્બરે રાત્રે આ સમયે કરજો કાન્હાની પૂજા!

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / જન્માષ્ટમી પર પૂજા માટે મળશે માત્ર 46 મિનિટનું શુભ મુહૂર્ત, 4 સપ્ટેમ્બરે રાત્રે આ સમયે કરજો કાન્હાની પૂજા!

Last Updated: 04:54 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વર્ષે જન્માષ્ટમી 4 સપ્ટેમ્બરે છે અને પૂજા માટે માત્ર 46 મિનિટનો નિશિત કાળ મળશે. જેમાં તમારે યોગ્ય વિધિથી ગોપાલની પૂજા કરીને વ્રત પાળવું. ચાલો તેના વિષે જાણીએ.

1/5

photoStories-logo

1. જન્માષ્ટમી

આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર 2026ના શુક્રવારે મનાવવામાં આવશે. જેમાં ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ વર્ષે લગભગ 15 વર્ષ પછી અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જન્મોત્સવની ભવ્ય તૈયારી

મથુરા-વૃંદાવન સહિત દેશના તમામ મંદિરોમાં જન્મોત્સવની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. જો તમે આ દિવસે લડ્ડુ ગોપાલની પૂજા કરવા માંગતા હોવ તો ખાસ ધ્યાન રાખો. આ વખતે પૂજા માટે માત્ર 46 મિનિટનો જ સમય મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પૂજા મુહુર્ત

નિશિત કાળમાં રાત્રે 11:57 થી12:43 સુધીનો આ સમય સૌથી શુભ મનાય છે. અષ્ટમી તિથિ 4 સપ્ટેમ્બરે રાત્રે 2:25થી શરૂ થઈને 5 સપ્ટેમ્બરે રાત્રે 12:13 સુધી રહેશે. રોહિણી નક્ષત્ર 4 સપ્ટેમ્બરે રાત્રે 12:29થી 11:04 સુધી રહેશે. વ્રત પારણનો સમય 5 સપ્ટેમ્બરે સવારે 6:01 પછી છે અને દહીં હાંડીનો ઉત્સવ 5 સપ્ટેમ્બરે મનાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પૂજાની વિધિ

સવારે વહેલા ઊઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતનો સંકલ્પ લો. મધ્યરાત્રે નિશિત કાળમાં લડ્ડુ ગોપાલને પહેલા પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ) અને બાદમાં ગંગાજળથી સ્નાન કરાવો. નવા વસ્ત્રો પહેરાવો, ચંદનનું તિલક લગાવો અને બાંસુરી, મુકુટ તથા ફૂલોથી સજાવો. બાળગોપાલને પાલણામાં બેસાડીને શંખ-ઘંટની ધ્વનિ સાથે ઝૂલાવો. માખણ-મિશ્રી, પંજીરી, ખીર, પંચમેવા અને ફળનો ભોગ ધરાવો. યાદ રાખો કે દરેક ભોગમાં તુલસીનું પાન અવશ્ય મૂકો. દેશી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવીને આરતી કરો અને મંત્રોનું જાપ કરો. વ્રત દરમિયાન અન્ન ન લો, ફળાહાર કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami worship Shri Krishna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ