ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / હજારો સરકારી કર્મચારીઓને જન્માષ્ટમીની ભેટ, DA 42%થી વધીને 60% થશે

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / હજારો સરકારી કર્મચારીઓને જન્માષ્ટમીની ભેટ, DA 42%થી વધીને 60% થશે

Last Updated: 11:19 AM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પંજાબની ભગવંત માન સરકાર સરકારી કર્મચારીઓને જન્માષ્ટમીના અવસર પર મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. રાજ્યના લગભગ 85,000 સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 18 ટકાનો વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. જન્માષ્ટમીએ કર્મચારીઓને 18% DAનો મોટો લાભ!

પંજાબ સરકાર રાજ્યના સરકારી કર્મચારીઓને જન્માષ્ટમીના અવસર પર મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. લગભગ 85,000 કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 18 ટકાનો વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ DA 42 ટકાથી વધીને 60 ટકા થઈ શકે છે. મુખ્યમંત્રીની અંતિમ મંજૂરી મળ્યા બાદ આ નિર્ણય ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે.કેબિનેટની ત્રણ સભ્યોની સબ-કમિટીએ આ કર્મચારીઓનો DA 42 ટકાથી વધારીને 60 ટકા કરવાની ભલામણ કરી છે. જો મુખ્યમંત્રી ભગવંત માનની અંતિમ મંજૂરી મળી જાય તો આ નિર્ણય ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે. આ નિર્ણયથી હજારો કર્મચારીઓને તેમના પગારમાં મોટો લાભ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 85,000 કર્મચારીઓને મળશે લાભ

આ DA વધારાનો લાભ પંજાબના તમામ સરકારી કર્મચારીઓને નહીં મળે. 17 જુલાઈ 2020 બાદ ભરતી થયેલા લગભગ 85,000 કર્મચારીઓને આ વધારાનો લાભ મળવાની શક્યતા છે. આ કર્મચારીઓને 7મા પગાર પંચના પે-મેટ્રિક્સ પ્રમાણે મૂળ પગાર મળી રહ્યો છે પરંતુ તેમનો DA 42 ટકા પર અટકેલો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. DA 42%થી વધીને 60% થશે

સરકારની ભલામણ મંજૂર થાય તો આ કર્મચારીઓનો DA સીધો 60 ટકા થઈ જશે. એટલે કર્મચારીઓને DAમાં 18 ટકાનો વધારો મળશે. આ વધારાથી તેમના માસિક પગારમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જૂના કર્મચારીઓને હાલ લાભ નહીં

પંજાબના લગભગ 4 લાખ સરકારી કર્મચારીઓમાંથી આશરે 3.15 લાખ કર્મચારીઓને આ નિર્ણયનો સીધો લાભ નહીં મળે. જુલાઈ 2020 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓ પંજાબ પગાર પંચના નિયમો હેઠળ આવે છે. હાલની ભલામણમાં તેમના માટે કોઈ નવી રાહત જાહેર કરવામાં આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કર્મચારીઓના વિરોધ વચ્ચે મોટો નિર્ણય

પંજાબ સરકાર અને સરકારી કર્મચારી સંગઠનો વચ્ચે લાંબા સમયથી DAના બાકી નાણાં અને પગારની વિસંગતતાઓને લઈને તણાવ ચાલી રહ્યો છે. કર્મચારીઓએ 8 સપ્ટેમ્બર 2026ના રોજ સામૂહિક રજા પર જવાની ચેતવણી પણ આપી છે. આવી સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા 85,000 કર્મચારીઓના DAમાં વધારાની ભલામણને મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અંતિમ મંજૂરી બાદ થશે અમલ

કેબિનેટ સબ-કમિટીની ભલામણ બાદ હવે મુખ્યમંત્રી ભગવંત માનની અંતિમ મંજૂરી મહત્વપૂર્ણ રહેશે. મંજૂરી મળ્યા બાદ DA વધારાનો નિર્ણય લાગુ થઈ શકે છે. સરકાર દ્વારા તેને જન્માષ્ટમીની ભેટ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Government Employees DA 60 Percent Punjab DA Hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ