ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:54 PM, 4 September 2026
1/5
જન્માષ્ટમી એટલે ભક્તિ, ઉત્સાહનો પર્વ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી માટે ઘરો અને મંદિરોમાં સુંદર ઝાંખીઓ સજાવવામાં આવે છે, બાળ ગોપાલને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને મધરાતે “નંદના આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી”ના જયઘોષ સાથે જન્મોત્સવ મનાવવામાં આવે છે. પરંતુ જન્માષ્ટમીની એક એવી પરંપરા પણ છે, જેના પર કદાચ તમારું ધ્યાન ગયું હશે. મધરાત્રિએ કૃષ્ણ જન્મ સમયે અમુક લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા કે મંદિરના દ્વાર થોડીવાર માટે ખુલ્લા રાખે છે. આખરે આવું શા માટે કરવામાં આવે છે? તેની પાછળ ધાર્મિક માન્યતા અને એક સુંદર પ્રતીકાત્મક સંદેશ જોડાયેલો છે.
2/5
પૌરાણિક કથાઓ મુજબ, શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. કંસે દેવકી અને વસુદેવને કેદ કરી રાખ્યા હતા અને જેલના દરવાજા કડક પહેરા તથા તાળાંથી બંધ હતા. માન્યતા છે કે ભગવાન કૃષ્ણના જન્મની સાથે જ જેલના તાળાં આપોઆપ ખુલી ગયા અને પહેરેદારો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા. ત્યારબાદ વસુદેવજી બાળ કૃષ્ણને લઈને ગોકુળ તરફ નીકળી શક્યા. જન્માષ્ટમીની મધરાતે ઘર કે મંદિરનો દરવાજો ખુલ્લો રાખવાની પરંપરાને આ દિવ્ય પ્રસંગ સાથે જોડવામાં આવે છે. ભક્તો માટે તે બંધનોમાંથી મુક્તિ અને ભગવાનના આગમનનું પ્રતીક માનવામાં આવે છે.
ADVERTISEMENT
3/5
જન્માષ્ટમીની રાત્રે બરાબર મધરાતે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. આ સમયે ભક્તો પોતાના ઘરમાં પૂજા કરે છે, દીવા પ્રગટાવે છે, કૃષ્ણનાં ભજન ગાય છે અને બાળ ગોપાલને ભોગ ધરાવે છે. ઘરનું બારણું ખુલ્લું રાખવું એ માત્ર એક રીત-રિવાજ નથી પરંતુ ભગવાનને પોતાના ઘરે આવકારવાનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેનો ભાવ એવો છે કે જેમ ઘરના દ્વાર ખુલ્લા છે, તેમ ભક્તનું મન અને હૃદય પણ કાન્હાના સ્વાગત માટે ખુલ્લાં છે. આ પરંપરા સાથે આધ્યાત્મિક રીતે સકારાત્મક ઊર્જાની માન્યતા પણ જોડાયેલી છે. જન્માષ્ટમીની મધરાતનો સમય શાંત હોય છે અને આ સમયે ભગવાન કૃષ્ણના જન્મની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે.
4/5
જન્માષ્ટમીની રાત્રે બારણું ખુલ્લું રાખવાની પરંપરા માત્ર એક ધાર્મિક રિવાજ તરીકે જોવાની જરૂર નથી. તેમાં શ્રીકૃષ્ણના જન્મ સાથે જોડાયેલી પૌરાણિક ઘટના, ભગવાનના સ્વાગતની લાગણી અને ઘરમાં સુખ-શાંતિ આવે તેવી ભક્તિપૂર્ણ આશા હોય છે. આ બધું એકસાથે જોડાયેલું છે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ